________________
૧૩૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
અંગે હૂબહૂ ચિત્ર આંકી દેતી, ભવ્યતાના સ્પર્શવાળી, નરસિંહની વાણીનો ઓજસગુણ, વદન મલકાવી વડસાસુજી બોલિયાં : એ વાતમાં સંધ શિયો છે?'- નો મર્મ, “શાંત કીધી ઓલી ઘરડી ડોશીમાં “ઓલીનો વ્યંગ્ય, “આવડી દૂબળી કેમ કરી દીકરી – એ સ્વભાવોક્તિ – એ બધું યાદ કરીએ તો પણ નરસિંહની આખી કૃતિ પ્રબંધરચના તરીકે સમૃદ્ધ હોવાની છાપ પડતી નથી.
હારપ્રસંગને પણ પછીના કવિઓએ વિસ્તારીને લડાવ્યો છે. એમાં હાર પ્રભુને હાથે અર્પણ થયો એ સ્વીકારવા ઉપર ઘણો બધો ભાર મુકાય છે અને એ સિવાય વસ્તુવિકાસની કોઈ ગુંજાયશ જ નથી – માત્ર પ્રાર્થના, આર્ત હૃદયના વલવલાટ, સિવાય બીજું કશું સંગત પણ નથી, એથી પ્રબંધરચના તરીકે એ સફળ થવા અંગેની મૂલગત શક્યતા જ ઓછી છે. પ્રાર્થના ઉદ્દગારોનાં ઊર્મિકો, એક ઊર્મિક-માળા મળી શકે. પણ કમભાગ્યે બહારસમેનાં પદમાં નરસિંહની પ્રતિભાની છાપવાળાં ઉત્કટ ભક્તિઉદ્દગારનાં ઊર્મિકો અતિ જૂજ છે. “તું કિશા ઠાકુર? હું કિશા સેવક? જો કર્મચા લેખ ભૂસ્યા ન જાયે' એ પોતાને અગાઉ ભગવાને મદદ કરીને ‘અભેદાન દીધું છે એ અંગેનું પદ, અને એની પછી આવતું દેવા હમચી વાર કાં બધિર હોઈલા? અપુલા ભક્ત કાં વીસરી ગેલા?” –એ ભૂતકાળમાં અનેક ભક્તોને સંકટ પ્રસંગે તે મદદ કરી છે તો મારીવખતે જ કેમ બહેરો થઈ ગયો છે એવી આર્ત ચીસનું, અમ્યો ખળભળતાં તમ્યો ખળભળશો' –એ સંકેત પ્રગટ કરતું પદ– એ બે કાંઈક ધ્યાન ખેંચે છે. વધુ એક ત્રીજું પણ એની શબ્દ અને લયની છટાનો ખ્યાલ આપતું અટપટા, ચટપટા, લંપટા, કેલીઘટા એ આંતશ્માસવાળું, “વાઘ પડી’ એ રૂઢિપ્રયોગ યોજતું, જીવડો ઝગમગે, અંગ સવિ ડગમગે, ફગમગે નેત્ર જોવાને રૂપ; નરસિંયો રગમગે લોક સહુ ચગમગે, કોપ્યો બોલે મંડલિક ભૂપ' – એ આંતરપ્રાસના અતિરેકથી કાંઈક સસ્તું પણ બનતું - એની હથોટીનો કાંઈક નબળો પરિચય કરાવતું પદ છે. “મામેરુંમાં કૃષ્ણ કેટલુંક સંભળાવવામાં આવ્યું હતું, તેવું વલણ આ કાવ્યમાં તો વધુ ધૂળ બને છે અને કાવ્યનો સૂર થોડોક એથી કથળે છે. એમ કહેવું રહે છે કે કસોટીની જેવી તીવ્રતા છે તેવી વાણીની ઉત્કટતા ‘હારસમેનાં પદોમાં જવલ્લે જ અનુભવાય છે.
કાવ્યદૃષ્ટિએ પુત્રનો વિવાહ એ સબળ અને સફળ કૃતિ છે. મામેરાનો એમાં ઉલ્લેખ છે એટલે મામેરાના પ્રસંગ પછી એની રચના થઈ છે. લાવો, સ્વપ્રતીતિના આ પ્રસંગો ગાઈએ, એમ માનીને નરસિંહે એ પ્રસંગો મામેરા પછી શબ્દબદ્ધ કરવા માંડ્યા લાગે છે. પણ એની સમગ્ર શક્તિ પુત્રનો વિવાહ' માં ખર્ચાઈ છે. એમાં આરંભમાં પોતે “અચેત ચેતન થયો’ તેની કથા જ રોમહર્ષણ છે અને પુત્રનો વિવાહ