________________
૨૫૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ- ૧
ઉલ્લેખ કરીને સમરસિંહના રાજદ્વારી કૌશલની પ્રશસ્તિ કરી છે. સંઘનો યાત્રામાર્ગ
અને વચ્ચે આવતાં નગરોનું વિગતે વર્ણન કર્યું છે. “સમરારાસુ'ની રચના ઐતિહાસિક પ્રબન્ધના સ્વરૂપને પૂર્ણપણે અનુસરતી છે. વિશેષ માહિતી માટે જુઓ ગ્રન્થ ૧, પૃ. ૧૫૧).
આ યુગનો, પ્રાચીન ગુજરાતીમાં કદાચ પ્રથમ વાર પ્રબન્ધ' નામથી અભિહિત થયેલો, જૈનેતર કવિ ભીમનો શૃંગાપ્રધાન “સદયવત્સવીર પ્રબન્ધ' (ઈ.સ.૧૪૧૦) સુપ્રસિદ્ધ લોકકથાને કાવ્યરૂપે ગૂંથે છે. પાટણના સુપ્રસિદ્ધ કવિ ભીમના આ પ્રબંધમાં વીર અને શૃંગાર સાથે અભુતરસ પ્રધાન છે, અને અન્ય રસોનો યથાપ્રસંગ ઉપચય છે. કવિ પ્રારંભે જ પ્રતિજ્ઞા કરે છે કે, આ પ્રબધમાં એ નવે રસોનું નિરૂપણ કરશે:
‘સિંગાર હાસ કરુણા, રુદ્દો, વીરો, ભયાણ, બીભચ્છો : અદ્ભુત, સંત, નવઈ રસિ જસુ જંપિસુ સુદયવચ્છસ્સ”
કથાનું એક રાજસ્થાની રૂપાન્તર પણ મળે છે. એમાં સદયવત્સ અને સાવલિંગાના આઠ પૂર્વભવની કથા આપી છે.
પ્રસ્તુત પ્રબન્ધમાં ઉજ્જયિનીના રાજા પ્રભુવત્સના પુત્ર સદયવત્સ (લોકકથાના સદેવંત) અને પ્રતિષ્ઠાનના રાજા શાલિવાહનની પુત્રી સાવલિંગાના પ્રણયની કથા આલેખાઈ છે. એમાં ઉત્તરકાળના શામળ જેવો પ્રશ્નોત્તરીવિનોદ પણ ડોકિયાં કરે છે. ઉદાહરણરૂપે નીચેની પ્રશ્નોત્તરી જુઓ.
સાવલિંગા-નાહ! કુરંગા રણથલિ જલ વિણ કિમ જીવંતિ?” (છાયા : નાથ! હરણો રણસ્થલમાં–મભૂમિમાં-જળ વિના કેમ જીવે?) સદાવત્સ-નયણસરોવર નેહ-જલ, નયણાં નીર પીયંતિ'. (છાયા-નયનરૂપી સરોવરમાં સ્નેહનાં જળ ભરેલાં છે, એ નીર નયનોથી પીએ છે') સાવલિંગા–“રનિ ન દિઠું પારધિ, અંગિ ન લાગુ બાણ : સુણિ સૂદા (સામલિ ભણઈ) ઈહ કિમ ગિયા પરાણ?”.
(છાયા-અરણ્યમાં કોઈ પારધિ જોયો નહીં, તેમ આના અંગમાં કોઈ બાણ પણ લાગ્યું . નથી. તો હે સદયા કહે, આ (હરિણયુગલ) ના પ્રાણ કેમ ગયા હશે?)
સદયવત્સ-જલ થોડઉં, સનેહ ઘણ; તરસ્યાં બેઉ જણાંહ : પીય, પીય' કરતાં સૂકી ગઉ, મૂઆં દોય જણાંહ'.
(છાયા-બંને જણાં તરસ્યાં હતાં, પણ જળ થોડું હતું અને બંને વચ્ચે સ્નેહ ઘણો હતો. એ ‘તું પી તું પી કરતાં રહ્યાં ને પાણી સુકાઈ ગયું, અને બંને જણાં તરસ્યાં મરી ગયાં.')