________________
૪૨૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧
બને – સેંથો કે તાલ' નક્તિના સુંદર નમૂના છે. સાંભળવા મળેલી એક કડીમાં ખાર પાયેલો ચાબખો છે :
સજીવાએ નજીવાને ઘડ્યો ને સજીવો કહે છે કે મને કાંક દે! આ અખો ભગત એમ પૂછે છે કે તારી તે એક ફૂટી છે કે બે?
છપ્પાનાં ફુટકળ અંગ આદિમાં કથાકીર્તન તીર્થાટન પગલાં પૂજન સંન્યાસગ્રહણ શાસ્ત્રપાંડિત્ય ગુરુપ્રાપ્તિ અને સાંપ્રદાયિક સંકુચિતતાઓ પર તીખા કટાક્ષો મળશે. પરલોકાભિમુખતા તો દૂર રહી, આ લોકોને સરખો કરવા માટેની એની સૂક્ષ્મ અવલોકનશક્તિ અને જદોજેહાદનાં અનેક દૃષ્ટાંતો સાંપડે છે તેમાંનું એક વિશિષ્ટ અખાછાપ દષ્ટાંત જોઈએ
વાં જોઈએ ત્યાં કૂડેકૂડ, સામાસામી બેઠી ઘેડ, કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લઈ ચાંચ જ ધરેઃ અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા? (૬૫૪)
અખાના કટાક્ષને બલવંતરાય ઠાકોર “ત્રીજા નેત્રની પ્રસાદી' તરીકે ઓળખાવે છે. “નરસિંહ અને મીરાંનાં કોઈ કોઈ ઊર્મિકાવ્યો વિશે આપણે ગુજરાતીઓ એક અવાજે સ્વીકારીશું કે એ ઇસ્પાયર્ડ, ત્રીજા નેત્રની પ્રસાદી' છે. અખાની ટીકાની ધગધગતી શિખાઓ વિશે પણ આપણે કેટલેક ઠેકાણે સંમત થઈશું કે એ અગ્નિ અલૌકિક. (આવો પ્રોફેટિક સેટાયર’ બાઈબલમાં છે, કુરાનમાં છે, ભાગવતમાં પણ આરંભે કલિયુગનાં લક્ષણોના વર્ણનમાં છે.)*ધામધૂમ તે ધનનો ધા', ‘ઊંચમાં રામ બમણો નથી ભર્યો,” “શબરી સંસ્કૃત શું ભણી હતી, ભાઈ?” “કાંઈ ભણ્યગણ્ય માણો આફરો” –જેવી પંક્તિઓમાં કેટલેક ઠેકાણે' જરૂર અખાનો કટાક્ષ પ્રોફેટિક સેટાયર’–‘પયગંબરી કટાક્ષ –ની કોટિનો છે.
કોઈવાર એ પયગંબરી પુણ્યપ્રકોપ મટી જઈ અનભિજાત શાપોક્તિનું કે ગાળાગાળીનું પણ રૂપ ધારણ કરે છે : “ખાઈ પીને થયા ખૂંટડા', “કાલ વાગશે ઢીલા ઢોલ', જેના શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર', કોઈ વાર બીજાની બદનસીબીભરી સ્થિતિ, (ડિસ્કોમ્ફીચર) પર પણ એવું ખડખડાટ હાસ્ય પ્રગટતું હોય છે : ‘અખા, બાળકની પેરે થયું, બોરાં સાટે ઘરેણું ગયું. માણસ જેની ઉપર હસ્યા જ કરે એવું ચિત્ર તો પ્રગટે છે જ્યારે અખો કોઈને કહે છે : અલ્યા, “તારે ગોફણ સહિત ગોળો ગયો” કોઈવાર શબ્દના ચાળા પાડીને અસર ઉપજાવે છે : ‘ઉન્મત્ત મનને યોગ સાધવો, કર્મઓઘ કરે નહિ નવો' માં યોગ' પાછળ “ઘ' શબ્દ કેવો સહેજે તણાતો