________________
૪૪૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧
– સગા કુટુંબી કોઈ કેના નથી, બહેન ને ભાયા રે; કર્યું ન થાય કોઈનું, પણ દુર્મતિ કાયા રે; ધરાનું ધોંસરું કાંધ ધર્યું, ધન્ય ગો તણા જાયા રે.” -“રત્ન અમૂલ્ય તને માંડ મળ્યું છે, તે ખૂટલી નાંખ્યું હોય આ જનમ તો એળે ગયો, તે સ્મરણ ન કર્યું સોય.'
સંતસેવા અને હરિભક્તિનો સીધો ઉપદેશ આ ચાબખાઓમાં મળે છે:
- પ્રાણિયા! ભજી લેને કિરતાર, આ તો સ્વનું છે સંસાર'. –“મનવા રે'ની ભજનમાં ભળી, આ તો વેળા જાય છે વળી.” -દેખો દેહ ધરી દેવા રે, કરી લિયો સંતુની સેવા રે. - ભજન કરો તો ભવ મટે, સંતશબ્દ ધરજો કાન'; –અમરદેવને આરાધી લેજો સમજ સદ્ગુરુની શાન'. -પ્રેમપદને પામવા તું મેલી દે મનની તાણ, ભોજો ભગત કહે ગુરુપ્રતાપે ભક્તિ છે નિર્વાણ.”
આજન્મ નૈષ્ઠિક બ્રહ્મચારી રહેલ ભોજા ભગતે ચાબખા ઉપરાંત બાવનાક્ષરી, કક્કો, મહિના, પ્રભાતિયાં, સરવડાં કાફી, હોરી વગેરે લખ્યાં છે. ગુરુસેવા, કૃષ્ણકીર્તન, અજ્ઞાની જીવની મૂઢતા, સંસારની ક્ષણભંગુરતા, માયાનું પ્રાબલ્ય, બ્રહ્મની એકતા ને સર્વવ્યાપકતા, આત્માનુભવ જેવી અનેક બાબતો ભોજા ભગતે પોતાની લાક્ષણિક બાનીમાં રજૂ કરી છે.
કવિનાં પ્રભાતિયાંની નીચેની પંક્તિઓનું કવિનું વાણીસામર્થ્ય જ્ઞાનોપદેશના ક્ષેત્રમાં પણ કેટલું બધું છે તેનો ખ્યાલ આપે છે:
“હરિજન હોય તેણે હેત ઘણું રાખવું, નિજ નામ ગ્રહોને નિમન રહેવું; ત્રિવિધના તાપને જાપ જરણા કરી, પરહરી પાપ, રામનામ લેવું? કૃષ્ણ કૃપા વિના કર્મ છૂટે નહિ, ક્ષુધા ન લાગે જળપાન કીધું, પૂરણ પ્રીતિ વિના પ્રભુજી નહિ મળે મુક્તિ ના પામીએ માન લીધે.’ કામનું મૂળ તે જાણવી કલ્પના, ક્રોધથી કર્મની ગાંઠ બાંધે. શીલ સંતોષના ચોખા દીધા વિના, જન્મ ને મર્ણના રોગ વાધે.’ પ્રપંચને પારથી સમજીને ચાલવું, ડહાપણ ને ભોળપણ નાખી દેવું; જેમ છે તેમ જાણી, જોઈ રેવું જગતમાં, વેર ને પ્રીતિ નહિ એમ રેવું.