Book Title: Gujarati Sahityano Itihas Part 02 Khand 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 446
________________ અખો ૪૨૯ ૧૧. મહેતા, નર્મદાશંકર દે, ‘અખાકૃત કાવ્યો'-૧, પૃ. ૪૬. ૧૨. જોશી, ઉમાશંકર, “અખો-એક અધ્યયન', ૧૯૭૩, પૃ. ૬૫. ૧૩. એ જ, પૃ. ૬૧-૬ ૨. ૧૪. એ જ, પૃ. ૬૩. ૧૫. અખાની કૃતિઓ માટે જુઓ “બૃહત્ કાવ્યદોહન' ના ભાગો; “અખાની વાણી', પ્ર. સતું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ; ‘અખાકૃત કાવ્યો-૧' સં. નર્મદાશંકર દેવશંકર મહેતા, પ્ર.ગુજરાત વિદ્યાસભા; “અપ્રસિદ્ધ અક્ષયવાણી સંગ્રહકાર ભગવાનજી મહારાજ, કહાનવા, સંશોધક તથા ટીકાકાર “સાગર'-જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી. પ્ર. ગુજરાત વિદ્યાસભા. ૧૯૩૨; “શ્રી અખાજીની સાખીઓ', સંગ્રાહક અને પ્રકાશક ભગવાનજી મહારાજ, કહાનવા, સંશોધક, થકાકારતથી પ્રકાશક કેશવલાલ અંબાલાલ ઠાકર, ભરૂચ, ૧૯૫૨. ‘અખેગીતા'ની, હસ્તપ્રતો ઉપરથી શાસ્ત્રીય રીતે સંશોધિત કરેલી, વિવરણ અને મહત્ત્વના શબ્દોના કોશ સાથેની વાચના ગુજરાત યુનિવર્સિટીએ ૧૯૬ ૭માં પ્રગટ કરી છે. સં. ઉમાશંકર જોશી, રમણલાલ જોશી. “અખાકૃત કાવ્યો-૧' માંના ન. કે. મહેતાના પાઠમાં અને ભૂપેન્દ્ર ત્રિવેદી સંપાદિત પાઠમાં હસ્તપ્રતોની મદદ લેવાઈ છે. “અનુભવબિંદુની વાચના હસ્તપ્રતોના આધારે કેશવલાલ હર્ષદરાય ધ્રુવે તૈયાર કરી છે. પણ તેઓ હસ્તપ્રતોનો આધાર છોડી પ્રાસસાંકળી સાચવવા અને અન્ય કારણે કલ્પિત પાઠ મૂકતાં ખચકાયા નથી. એવા પાઠ આપવાની એમની પાત્રતા અત્યંત ઉચ્ચ કોટિની હોવા છતાં બીજી જ કડીમાં હસ્તપ્રતના “ગુણનું આલે' ને બદલે “ગુણને આલે' એવો પાઠ એ કહ્યું છે ત્યાં ‘આ’ ને એ ક્રિયાપદ તરીકે જોવાને માર્ગે વળી ગયા લાગે છે. હકીકતમાં એ છે નામ‘ગુણનો આલય.' ભૂપેન્દ્ર ત્રિવેદી એમની ‘અખેગીતા'ની આવૃત્તિની જેમ આની આવૃત્તિમાં પણ કેવળ હસ્તપ્રતો લઈ શાસ્ત્રીય રીતે પાઠાન્તરો નોંધતા નથી. પણ એમના પાઠમાં હસ્તપ્રતોની સામગ્રી વધુ હોઈ એ જોવી ઘટે. હરિવલ્લભ ભાયાણીએ “ગ્રંથ'– મે ૧૯૬૫)માં અવલોકનમાં કહ્યું છે તેમ ‘અનુભવબિંદુનો પ્રમાણભૂત પાઠ નિર્મીત કરવા માટે ફરી કોઈએ વ્યવસ્થિત પ્રયત્ન કરવાનો રહેશે. છપ્પાની જૂના સમયની છપાયેલી પ્રતોના ઉલ્લેખ માટે જુઓ “અખો–એક અધ્યયન' ૧૯૭૩. આઠ હસ્તપ્રતો ઉપરથી શાસ્ત્રીય સંશોધનપૂર્વકની વાચના મેં ૧૯૫૩૫ાં આપી હતી તેની સુધારેલી આવૃત્તિ ૧૯૬ માં પ્રગટ થઈ છે. તેમાં અંતે શબ્દસૂચિ આપવા ઉપરાંત છપ્પામાં આવતા વિષયોની ઠીકઠીક વિગતવાર વિષયસૂચિ આરંભમાં આપી છે. અંગોમાં સામાન્ય રીતે વિષયનું દઢ બંધન ન હોઈ કઈ પંક્તિ કયાં હશે એ શોધવું મારા જેવા જેણે અક્ષરશ: સેંકડોવાર છપ્પા ઉથલાવ્યા છે તેને માટે પણ હંમેશાં સહેલું નથી. ક્યારેક પંકિતસૂચિ સાથેની એક એવી આવૃત્તિ આપવાનો ખ્યાલ છે, જેમાં ચાલુ આવૃત્તિમાં દરેક છપ્પાની અતિ ટૂંકી શબ્દાર્થટીકા આપી છે તેને બદલે, દરેક છપ્પાનો અખાના કુલ વિચારઠાઠના સંદર્ભમાં સરળ ગદ્યાર્થ પણ આપવામાં આવ્યો હોય. બીજી કૃતિઓની પણ હસ્તપ્રતોની મદદથી શાસ્ત્રીય સંશોધનપૂર્વક વાચનાઓ વહેલામાં વહેલી તકે પ્રગટ થવી જોઈએ. સાખીદુહાની એવી વાચના તૈયાર થાય તો તેનો વિચારસંદર્ભ

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510