________________
૪૩૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧
ભાષાપ્રભુત્વ એમનાં અનેક ભજનોમાં દેખાય છે :
ફૂલ્યો શું કરે છે છકમાં છાયા જોતો ન ચાલ: વરણાગીમાં વાટ ઊઠશે, લૂંટીલેશે કાળ. ધન જોબનના મદમાં માતો, વિષયભોગમાં વારૂ: એ ચાંદરણું ચાર દિવસનું, અંતે છે અંધારૂં માટે મન વિચારી જોને, માને કહ્યું તું સાચું; વણસી જાતાં વાર ન લાગે, કાયાપાત્ર છે કાચું; જીવન્મુક્ત તો જેને કહેવાય છે, એવા પુરુષ પરમાણું. વાણી જાઓ તો વિકાર નહિ, જેમાં ઊઘડવું હીરાનું શાણું. અપાન આવણ ઊડી ગયું છે, વાયુ અખંડિત વહાણું. રહે છે સંસારમાં ને ભિન્ન છે સંસારથી, સમજ્યામાં સાર સમાણું મરીને જીવે તેનો દેશ એવો જાણજો, નામ સમાન નહિ નાણું. નિરાંત સદ્ગુરુ કામધેનુ કહીએ, દાસને તે જોઈએ દુઝાણું,
ધીરો નિરાંત મહારાજની સાથે જેને સવિશેષ પરિચય હતો એવા ધીરા ભગત (ઈ.સ.૧૭૫૩ થી ૧૮૨૫) ગોઠડાના બારોટ હતા. સાધુસંન્યાસીઓની સેવા દ્વારા તે બહુશ્રુત બન્યા હતા અને શાસ્ત્રીઓ પાસે એમણે શાસ્ત્રાભ્યાસ પણ કર્યો કહેવાય છે. સાંખ્ય વેદાંતના જ્ઞાન ઉપરાંત ધીરા ભગતને હઠયોગ અને રાજયોગ પણ આવડતા હતા. એમની પત્ની કટુભાષિણી હતી. નિરાંત મહારાજે કહ્યું છે :
મળે કુભારજા જો નારી, જ્ઞાની માને તેને સારી. શિષ્યો જાકો નારી હૂંડી, વાકી દશા જાનો રૂડી. હરિનામ કદી સમરાવે, વાકે પ્રસાદસે હરિ પાવે; સારી તે તો જાણો બલા, નિરાંત સત્ય કહે છે ભલા'.
ગમે તે હો, પણ ધીરા ભગતે સમર્થ વાણીમાં જ્ઞાનભક્તિનો ઉપદેશ વિપુલ પ્રમાણમાં આપ્યો છે. હરિજનની આવશ્યકતા અંગે એઓ કહે છે :
“હરિભજન જેને ભોવન નહિ, મંદિર તેનું મસાણ, સ્મરણ પુણ્ય સમણે નવ સમજે, તે પાપી પાખંડી પશુપાણ;