Book Title: Gujarati Sahityano Itihas Part 02 Khand 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 453
________________ ૪૩૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ- ૧ દેથાણ ગામે રજપૂત કુટુંબમાં એઓ જન્મ્યા હતા. નાનપણથી જ ધર્મવિષયક કથાવાર્તાના પ્રેમી હોઈ પુરાણીઓની કથામાં તથા ગામના ઓચ્છવમંડળમાં એઓ નિયમિત જતા. પોતે સારું ગાઈ પણ શકતા. બે વાર પરણ્યા હતા અને આઠ પુત્રો અને ચાર દીકરીઓની પ્રજા એમને હતી. ગોકળદાસ નામના રામાનંદી સાધુ પાસેથી એમણે ‘નામનો ઉપદેશ મેળવ્યો અને સાચા જ્ઞાની બન્યા. પોતે ભજનો ગાતા પણ ગુરુની હયાતી દરમ્યાન પોતે ઉપદેશ આપતા ન હતા. ગુરુ વિદેહ થયા બાદ એમણે ઉપદેશ આપવાનું શરૂ કર્યું અને નાતજાતનું અભિમાન છોડી ઘણા માણસોએ એમની પાસેથી ઉપદેશ લીધો. એઓ પોતે સંપ્રદાય સ્થાપવા ઇચ્છતા ન હતા, પણ એમના અન્સાન બાદ એમના શિષ્યોએ જ્ઞાનગાદી સ્થાપી અને એમનો સંપ્રદાય ચાલ્યો છે. જેમાં ભક્તિ અને જ્ઞાન જળવાઈ રહે એવા નિવૃત્તિમાર્ગનો ઉપદેશ એમણે કર્યો છે. એમણે તિથિઓ, મહિના, સાખીઓ, સગુણભક્તિના ઉપદેશનાં ભજનો, નિર્ગુણભક્તિના, જ્ઞાનોપદેશના ભજનો, નામમહિમા, બ્રહ્મદર્શન, પરમાત્માસ્થિતિ, વિષયથી ઉપશમ પામવા અંગે બોધ, સત્સંગ, સંતલક્ષણ, આત્મનિરૂપણ, પુરુષપ્રકૃતિપરિચય, આત્મજ્ઞાન, દેહોત્પત્તિ અને મનુષ્યજીવન વગેરે અંગે ભજનો, ચેતાવની, પત્રો, સવૈયા, ઝૂલણાનાં પદ, કવિત, કુંડળિયા જેવી રચનાઓ કરી છે. એમની ભાષા સાદી, સરળ, તળપદી છે. ઘણાં ભજનો હિંદી-ગુજરાતી મિશ્ર ભાષામાં છે. સાધુવાણીની બાબતમાં ભાષાની સફાઈ અંગેનો આગ્રહ ન જ હોય, ભાષા સુગ્રાહ્ય અને ચોટદાર હોય એટલે બસ. નામ વિના કોઈ નવ તરે, ભવસાગરની માંહ્ય' એમ કહેતા નિરાંત મહારાજ રામનામ ભજ ભાવ ધરીને મૂકી મન બડાઈ રેએવો ઉપદેશ આપી એ રામનામનો મહિમા ભલી ભાતે ગાય છે. રામ નામ તો પદ નિરવાણ રે, “નામ નિરંજનસે અધિક’, ‘સાધન બીજાં અનેક ભાતનાં, ઉત્તમ નામ સમોવડ નાહિ, નામ પ્રતાપ વર્ણવ્યો નવ જાયે,’ પરમધામ પદ રામકો,’ ‘રામનામ રિધનું ગાડું,’ ‘રામ સમર સુખ પાવે' વગેરે વચનો નામરટણને નામસ્મરણ ઉપર ખૂબ જ ભાર મૂકે છે. મહામૂલો મનુષ્યદેહ પ્રાપ્ત થયો છે તો તેને એળે વેડફી ન નાખતાં “હરિભજન કરો', “હરતાં ફરતાં ધંધો કરતા, ધ્યાન હરિનું ધરવું, કેમકે “આરે કાયાનો પાયો છે કાચો, સુત વિત દારા અંતે રહેશે અળગાં, અને સાચું સગપણ શામળિયાનું છે. અનેક મનની વૃત્તિ મૂકીને એક ઝાલને દીનાનાથ,' “મહામંત્ર મોટો રે નારાયણ તણો', “રામ ભજો ને રામ ભજો,’ એમ વારંવાર સનિષ્ઠ ભક્તિનો ઉપદેશ આપનાર આ કવિએ નરસિંહ મીરાંની યાદ આપે એવાં કૃષ્ણભક્તિનાં અનેક પદો ગોપીભાવે રચ્યાં છે. બાર મહિનામાં વિરહિણીના અંતરનો તલસાટ વેધક શબ્દોમાં રજૂ થાય

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510