Book Title: Gujarati Sahityano Itihas Part 02 Khand 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 450
________________ અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા ૪૩૩ કર્મ-ધર્મનો ઉપદેશ આપી, જ્ઞાતિભેદને આગળ કરતા રહી, પોતાની શ્રેષ્ઠતા અને અનિવાર્યતા સાબિત કરવા અંગે આગ્રહ સેવતા. જેમની પાસે સત્તા હતી તેઓ પોતાની સત્તાના બળે પ્રજાને કનડવામાં આનંદ માણતા. જેમની પાસે લક્ષ્મી હતી તેઓ એશઆરામી બની જઈને જાતજાતનાં વ્યસનોમાં રચ્યાપચ્યા રહેતા. ગુજરાતની પ્રજાને “ધર્મપ્રાણ' કહેવામાં કશું ખોટું નથી. અન્ય પ્રકારે જે વાત પ્રજાને સમજાવી ન શકાતી હોય તે વાતને ધર્મનું નામરૂપ આપી સમજાવી જ શકાય એટલી હદે લોકોની ધર્મમાં અંધશ્રદ્ધા હતી. સમાજમાં રૂઢિઓનું પ્રાબલ્ય હતું. અનેક દેવદેવીઓમાં લોકો માનતા. સંપ્રદાયો, પંથો, મત વગેરે ધર્મને ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં ગુજરાતમાં દેખાય છે. અને તેને પરિણામે તેમની વચ્ચે શ્રેષ્ઠતાની સાબિતી અંગે, સતત ઝગડાઓ પણ ચાલુ રહેતા. રામાનંદી ને નીમાનંદી, વલ્લભપંથી ને સહજાનંદી, કબીરપંથી ને દાદુપંથી જેવા જાતજાતના પંથો જ્યાં પ્રચલિત હોય ત્યાં સામાન્ય માણસની બુદ્ધિ કિકર્તવ્યમૂઢ બની જાય અને તેવે ટાણે સાચી સૂઝ આપી તેને મદદરૂપ બનવા તત્પર એવા નિરભિમાની, નિરાંડબરી, જ્ઞાની, પરદુઃખભંજક સંતભક્તોને શરણે જઈ, તેમને ચરણે બેસી, તેમનાં વચનામૃતનું પાન કરી તે શાતા મેળવી શકે. એ જમાનાને આવા નિસ્વાર્થી અને જ્ઞાની ગુરુઓની ઝાઝી જરૂર હતી, અને અખા પછી જે અનેક સંત-ભક્તો થઈ ગયા તેમણે પ્રજાને જ્ઞાન-ભક્તિ–વૈરાગ્યનો બોધ કરી સમાજમાં સદાચાર આણવાનું ને સમાજને તેની અનેક બદીઓ દૂર કરવામાં સહાયરૂપ થવાનું અતિ મહત્ત્વનું કાર્ય કર્યું છે. જેમને ચોક્કસ દૃષ્ટિએ ભેગા વિચારી શકાય તેમ છે તે ભક્ત કવિઓ પ્રીતમ, નિરાંત, ધીરો, ભોજો અને બાપુસાહેબ ગાયકવાડનું કાવ્યક્ષેત્રે પ્રદાન હવે વિચારીએ. પ્રીતમદાસ જ્ઞાનાશ્રયી કવિતાનો વિચાર કરતાં જેને ‘અખા પછીનો ગણનાપાત્ર જ્ઞાનીકવિ' કહી શકીએ તે પ્રીતમદાસ (ઈ.સ.૧૭૨૦ થી ૧૭૮૯) નો જન્મ બાવળા ગામમાં થયો હતો. જ્ઞાતિએ બારોટ, જન્મથી ચક્ષુહીન, રામાનંદી સાધુઓની જમાતના મહંત ભાઈદાસજી પાસેથી ગુરુમંત્ર અને ઉપદેશ લીધા પછી એમણે જ્ઞાનભક્તિનો પંથ અપનાવ્યો. આમરણ સાધુજીવન ગાળનાર આ વેદાંતી કવિ યોગમાર્ગના પણ અભ્યાસી હતી અને સારું એવું શાસ્ત્રજ્ઞાન એમણે સંપ્રાપ્ત કર્યું હતું. ઈ.સ. ૧૭૬ ૧માં સંદેસર આવ્યા પછી એમણે કવન શરૂ કર્યું કહેવાય છે. કક્કા, વાર, મહિના, તિથિ, જ્ઞાન-ભક્તિવૈરાગ્યનાં પદો, ધોળ, છપ્પા, સાખીઓ, ગુરુમહિમા, નામમહિમા, જ્ઞાનપ્રકાશ, જ્ઞાનગીતા જેવી અનેક રચનાઓ એમણે કરી છે. મુખ્ય વિષય વેદાંતને :

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510