________________
૪૨૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ-૧
ઉપરથી નરસિંહરાવે શેલીની
Life like a dome of many-coloured glass,
Stains the white radiance of Eternity." અનેકરંગી કાચના ગુંબજની જેમ જિન્દગી શાશ્વતીના પ્રકાશની શુભ્રતાને છાંદી નાખે છે' - એ ઉપમા યાદ કરી હતી.
અખાનાં ઉપમા-દષ્ટાંત વક્તવ્યને તંતોતંત વ્યક્ત કરે છે : ઉન્મત્ત મનને યોગ સાધવો, જે કર્મઓઘ કરે નહિ નવો; જ્યમ છૂટી ધનું મારતી ફરે, તેને અંધારે બાંધ્યે ટેવ નીસરે, અખા તે જાણી કર્યો ઉપાય, ત્યાં સિદ્ધિરૂપી લાગી બગાઈ. (છપ્પા ૧૪૧)
ઉન્મત્ત મનને હરાઈ ગાય સાથે સરખાવ્યું. એને ઘરમાં કોઢમાં બાંધી એ દ્વારા યોગસાધનાનો નિર્દેશ કર્યો. એને મારતી ફરતી રોકી એ ફાયદો થયો, પણ નવી આફત ઊભી થઈ. બગાઈઓ ચટકા ભરવા લાગી. યોગના સાધકને, પોતાને સિદ્ધિઓ મળી છે, એ વસ્તુ વળગી. આમ, સાદાં ઉપમારૂપક દ્વારા કવિ લીલયા સુરેખ ચિત્રાંકન કરી શકે છે.
અખાની એક ખાસિયત એ છે કે એ જેવું, જેમને બદલે “એક આ અને બીજું તે એમ કહી અથવા અને' કે ને' થી કામ કાઢી લે છે.
એક અફીણ, બીજો સંસારીરસ, અધિક કરે ત્યમ આપે કસ. (છપ્પા ૧૧૬) અણસમજ્યો જીવ, બીજું ઝાંખરું, જ્યાં દેખે ત્યાં વળગે ખરું. (૧૯૭) કબુદ્ધિ જીવ અને કપાસ, તે પલ્લાવો'ણા નાવે રાસ. (૨૧૩) અજ્ઞાની ને ઊંટબચકું ઝાલ્યુ મૂકે નહિ મુખ થયું. (૨૯૬).
કોઈ વાર વળી સમાસ દ્વારા દૃષ્ટાંતનું સૂચન કરી દે છે : “વ્યાસ–વેશ્યાની એક જ પેર, વિદ્યા-બેટી ઉછેરી ઘેર' (૬૩૮). દષ્ટાન્તો કેટલીકવાર પ્રશ્નરૂપે મૂક્યાં છે : “કહ્યું કાપડ સોદો થાય?’ પ્રતિબિંબ કેમ બિંબને લહે?” “પૂતળીને કેમ જુએ ચક્ષ?” “સાગર આગળ શું કૂદે કૂપ?”
અખો બહુ જ સરળતાથી સામાના મનમાં ઠસી જાય એ રીતે દાખલો ગોઠવી દેતો હોય છેઃ “અખા માયા કરે ફજેત, ખાતાં ખાંડ ને ચાવતાં રેત', જેમ લૂણ આવી આંધણમાં ઊકળે, તો અર્ણવ તેથી શેને બળે?”
ચિત્ર ઉપજાવવાની અખાની શક્તિનો ઉત્તમ પરિચય કદાચ છપ્પા-(૧૪૮)માં પ્રપંચપાર જેની રહેણી છે એવા અનુભવી જ્ઞાનીની અલૌકિક કલાનો ખ્યાલ આપવા