________________
૪૨૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
એને ન પોસાય. યોગ્ય શબ્દ એની પાસે આવતોક ખડો થાય છે. ભાષા અખાની આગળ નાચે છે. બોડે તોડે જોડે વાળ’ એમાં શબ્દો કેવા કહ્યાગરા થઈને અખાને વશ વર્તે છે અને સંન્યાસી, જૈન સાધુ અને નાથપંથી એ ત્રણેયનું સુરેખ ચિત્ર આંકી દે છે! ચામખેડાના પૂતળીખેલ માટે દીવાતિમિરતણું દેખણું' વર્ણન હૃદયંગમ છે. રચનાના ઓઘમાં એ ખટપટને ખટપટવા દે’ જેવામાં નવું નામ-ક્રિયાપદ બનાવી કામ કાઢી લેતો જણાય છે. અખાનાં ક્રિયાપદો એકલાં જ કોઈ ઝીણવટથી જુએ તો એની વાક્શક્તિનો સરસ પરિચય મળે. (અખેગીતા’–૯માં મીન વિર્યું નીરથી’ અનેક ક્રિયાપદો વડે વર્ણવ્યું છે તેમાં તેનો એક સુંદર નમૂનો છે.) ગુજરાતી ભાષાનું અંતર્ગત બળ સમજવા માટે અખાની કાવ્યકૃતિઓનો અભ્યાસ અનિવાર્ય છે. એ બળ અખાએ રચેલો ચિત્રસંદર્ભ-આખો કાવ્યસંદર્ભ પૂરેપૂરો પામવાથી સહેજે સમજાય એવું છે.
અખાની ભાષાના મુખ્ય ગુણો તરી આવે છે તે છે ઓજસ અને ઓઘ. આત્મપુરુષાર્થ માટે આખો વાસંદર્ભ યોજાયો હોઈ એમાં એક સાત્ત્વિક ઉત્સાહ, તરવરાટ, સ્ફૂર્તિ, ઊર્મિનો ધબકારો વરતાય છે. અને એનું ભાષાભંડોળ સમૃદ્ધ હોઈ, એને કલ્પનાચિત્રો અપરંપાર સૂઝતાં હોઈ, ભાષાનો ઓઘ–પ્રવાહવેગ વરતાય છે. ‘અખેગીતા'માં કવિઓની કૃતક નમ્રતાનું, ભક્તનું, તરફડતા મત્સ્યનું કે કાચના મંદિરનું વર્ણન, ‘અનુભવબિંદુ'માં જીવનદી અંગેનું કે શરદઋતુનું વર્ણન અને ‘છપ્પા’ની ‘અહંબ્રહ્મરોપી રહે થંભ’, ‘રિવરથ બેઠો જે ન ફરે', છીંડું ખોળતાં લાધી પોળ', ગોપી ભૂલી ઘર ને બાર, ગોપી ભૂલી કુટુંબપરવાર, પોતાની જાત પણ ભૂલી ગઈ’આદિ એ ગુણોની સાક્ષી પૂરે છે.
અખાની વાણીમાં બોલચાલની છટા છે. એ છટા એણે છંદોલયમાં સાધેલા વૈવિધ્યમાં પુરબહારમાં પ્રગટ થાય છે. પંક્તિઓના આરંભ, મધ્ય કે અંતમાં છંદમાપ ઉપરાંતના બોલચાલની છટા ઉમેરતા કેટલાક શબ્દો હોય છે. (ભાઈ) એહવું મન હરિદાસ’, ‘(તેને) સ્કંધ વહી ઉતારું (જ્યમ) સખા’, ‘(જ્ઞાન) પીધું સાધકે (જે) દીધું સિધે’, ‘(ત્યમ) પ્રાકૃત વિના સંસ્કૃત (તે) વ્યર્થ-વગેરેમાંના શબ્દો એવા છે. ‘તું કલ્પદ્રુમ, કાં કલ્પી મરે” ‘શબરી સંસ્કૃત શું ભણી હતી, ભાઈ, ક્યા વેદ વાંચ્યા કરમાબાઈ?” –જેવી પંક્તિઓમાં એની સામે બેઠેલી કોઈ વ્યક્તિ હૂબહૂ થાય છે. હું તો છું તોરો આભાસ' અખાને હટાવી જાણે કે પ્રભુને આગળ કરે છે. તો’ પછી આવતો ‘તોરો’ પ્રયોગ રુચિકર છે.
કૃતક નમ્રતા દાખવતા કવિઓનું વર્ણન કરતાં તેવા કવિઓના મુખમાં અમો મગણજગણ નથી જાણતા, તુકચોજ ને ઝડઝમક અમો લહ્યા વિના નથી આણતા'