________________
અખો ૪૨૩
એ શબ્દો એણે મૂક્યા છે. પોતાનું વર્ણન તો ભગવાનથી ચલાવાતી પૂતળી, એની ફંકથી વાગતું વાજિંત્ર-એ રીતે કર્યું છે. કાવ્ય એ પ્રેરણાના પરિણામે વિનાકર્તુત્વે (“પેસીવ'–પણે) થઈ આવતી કૃતિ ન હોઈ અખાનું આ વાક્ય પણ આપણે સ્વીકારી લઈશું નહીં. એટલું જ કે એ પોતે પોતાના કવન અંગે માન લેવા તૈયાર નથી (અથવા બ્રાઉનિંગે એકવાર કહ્યું હતું તેમ ભગવાન અને પોતે બન્ને સહસર્જકો હતા, અખા જેવા અદ્વૈતી માટે તો પોતામાં રહેલા ભગવાન રચયિતા હતા). પોતે પેલાઓ પેઠે ગલિતપણે ગરુઓ થતો નથી, પણ એને મગજગણ (છંદમા૫) અને તુક, ઝડઝમક આદિની સારી હથોટી છે. અખો બનતાં સુધી પ્રાસ મેળવે જ છે. એક ઠેકાણે “સહેજ સાથે એણે “રહે જ પ્રાસ છપ્પા (૨૮૭)માં મેળવ્યો છે. કોકવાર અપરિચિત શબ્દ ગોઠવાઈ જાય છે, જેમકે પંથસાથે જંથ’. ‘અભુત–ભૂપ' જેવા ઊણપવાળા પ્રાસ કોઈકવાર હોય છે. પ્રાસમાં શબ્દ કેટલીક વાર મરડાય પણ છે. પણ એકંદર પ્રાસ-સામર્થ્ય ધ્યાન ખેંચે એવું છે. પંક્તિમાં વચ્ચે પ્રાસ મેળવવાનો પ્રયત્ન “મુક્તિ બંધ, પૂછે અતિમંદ' વક્તવ્યને તરત ઉઠાવ આપે છે. બીજા ગુરુ તે લાગ્યાં વરુ માં તદ્ભવ ‘ગુરુ-એ “વરુ આંતર પ્રાસને ખેંચી આપ્યો લાગે છે. “અનુભવબિંદુની પંક્તિમધ્યની પ્રાસસાંકળી સંવેદનનો એક વિશિષ્ટ આંદોલ રચે છે. એ નાનકડી કૃતિમાં અખાની લયસૂઝ કેટલીક કડીઓના ઓઘમાં અને અંતે અનુભવ” શબ્દના પુનરાવર્તનથી થતા સંમોહનમાં પણ પ્રગટ થાય છે.
એક અનુભવદક્ષ માણસ માનવબંધુઓને બે વાત પ્રેમપૂર્વક કહી રહ્યો ન હોય એવો રણકો વારંવાર અખાની છંદોવાણીમાંથી ઊઠે છે. એનો હાથ છંદોલય સાથે કેવો ઊછળ્યો અથવા આંખમાં કેવી ચમક તરવરી ગઈ એ જાણે આપણે જોઈ શકતા ન હોઈએ તેવું ક્યારેક લાગે છે.
૩. અખો ઉપમાકવિ ૪૩ ઉપમા રૂપક દૃષ્ટાન્તની અખામાં કહો કે આતશબાજી છે. એકથી અધિક બીજી એમ અનોખી ઉપમાઓ એ યોજ્યે જાય છે. એક જ ઉપમા અજવાળી દે એવી હોય ત્યાં એ બીજી, ત્રીજી, આપતાં સંકોચાતો નથી. કથા સાંભળવા નીકળ્યાં છે એ કેવાં લાગે છે? ‘આંધળો સસરો ને સરંગટ વહુ જેવાં. કથા-ગટગટ પીધી. પરિણામ? “આંખનું કાજળ ગાલે ઘસ્યું. ઘેર પાછાં વળ્યાં. કાંઈ પામ્યાં ખરાં કે? અરે, “ઊંડો કૂવો ને ફાટી બોક," –એવો ખેલ થયો! મુક્તક કેટલું સમૃદ્ધ હોઈ શકે એનો આ છપ્પો એક સુંદર નમૂનો છે.
‘અખેગીતા'ની, કાચના મંદિરની ઉપમા જે “અનુભવબિંદુમાં પણ યોજાઈ છે,