________________
૩૯૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ૨, ખંડ - ૧
સુણ મન એ મોટું વાંકડું. રૂધ્યું તે તે કેમ રહે માંકડું?
ચિત્ત. ૧૪૪)
અખો મોટું છે વાંકડું. જ્યમ કરવું વીંછીએ માંકડું.
| (છપ્પા ૩૯).
જાણે પડછંદાની પઠે, તું જાણી બોલે છે હઠે. (૩૧૭)
જ્યમ પડછંદો નર માન્યો નરે, જ્યમ બોલે તેમ ઉત્તર કરે. (૫૯)
‘ચિત્તવિચારસંવાદ' એ ‘અખેગીતા', “અનુભવબિંદુ અને છપ્પા'ના મહત્ત્વના ભાગ પહેલાં રચાયેલી કૃતિ છે. અને અખાની રચનાઓમાં ગુણવત્તાની દૃષ્ટિએ એનું સ્થાન આ ત્રણ કૃતિઓ પછી આવે છે.
બ્રહ્મલીલા'૨૧માં દર્પણની અને દામિનીની પરિચિત ઉપમાઓ જોવા મળે છે. સંતપ્રિયામાં બે વાર “ગુંસાઈનો ઉલ્લેખ છે, જે ઉપરથી નર્મદાશંકર દે. મહેતા અટકળ કરે છે કે એણે “પૂર્વાવસ્થામાં શ્રી ગુસાંઈજીનો વૈભવ પણ પ્રત્યક્ષ જોયો જણાય છે. બીજી કૃતિઓમાં ચર્ચાયેલા કેટલાક વિષયો આ કૃતિમાં સ્પર્ધાયા છે. ખલજ્ઞાની કર્મ અરુ બ્રહ્મ દોનોૌં ક્યું ર્યો એ વર્ણન અને ગુરુ ગોવિંદ, ગોવિંદ સો હિ ગુરુ' એ સમીકરણ તરત ધ્યાન ખેંચે છે.
બીજી પરચુરણ રચનાઓમાં સંતલક્ષણ૩ સામાન્ય કોટિનું છે, તો સાતવાર ૨૪ ગુરુવારથી આરંભાય છે એ નાનકડી વિગતમાં અખાની ખાસિયત છતી થઈ જાય
સાખીઓ૨૫ – દુહા' એ મધ્યકાલીન સાહિત્યનો એક મહત્ત્વનો પ્રકાર છે. આખા ઉત્તર હિંદમાં કેટલીક સાખીઓ લોકજીભે ચઢી ગઈ હોવા સંભવ છે. અને કેટલાક ભાવો, વિચારો, ઉપમા, દષ્ટાંતો એકથી બીજી ભાષામાં, એક જ ભાષામાં પણ એકથી બીજા ભક્તસંતના ઉદ્દગારોમાં અને વિશાળ લોકસાહિત્યમાં પડઘાયાં કર્યા હોય. છપ્પાનાં કેટલાંક વિચારબિંદુઓ આ દુહા-પ્રકારમાં પણ છેડાયાં છે. ‘અખેગીતાના દેહવૈરાગનો મહિમા અહીં બિનઅગ્નિ જલ જાયે' (૪૮.૯). અખા જાને બિરહયું કે જાને કિરતા' (૪૮.૧૩) જેવી પંક્તિઓમાં થયેલો જોવા મળે છે. સાચી પ્રેમભક્તિમાં વચ્ચે ઓટ(આડશ)-અહંઓટ રહેવા ન પામે એ વડપ્રયોગની વાત અખાઈ મુદ્રાવાળી માર્મિક ઉક્તિઓમાં (૩).૧-૩) થઈ છે.
પિયા પિયા કર સબ ગાત હૈ, અંગ નચાય નચાય; અખા ન બુઝે કોઈ પિયા, બીચ કોઈ બડી બલાય.