________________
અખો ૪૦૧
૧ (આ). માયાનિરીક્ષણદૃષ્ટિ લાધતાં બ્રહ્મ, ઈશ્વર, જગત અને જીવનું સાચું સ્વરૂપ સમજાઈ જાય છે.
છો કૈવલ્યસ્વામી તમો, દીસો ઈશ્વર માયા જીવ, એ ત્રણ પ્રકારે થાઓ તદ્રવતુ પણ સ્વભાવે તમો શિવ. (૧૯૮૫)
કાચના મંદિર(૧૯)ની ઉપમાથી અખો કૈવલ્ય, માયા, ઈશવર અને જીવનો ખ્યાલ આપે છે :
જ્યમ કાચનું મંદિર રચ્યું નીલ પીત શુભ્ર શ્યામનું, તે ઊપરે તપિયો સૂર જ્યારે, ત્યારે વિચિત્ર રૂપ થયું ધામનુ. ૮ કૈવલ્યસૂર તમે સદા અને માયા તે મંદિર કાચ, ઈશ્વર નામ તે તેહનું, જીવ થઈ માન્યું સાચ. ૯
-રંગરંગી કાચના મંદિર સમા માયામંદિરની અંદર જીવ થઈને સૂર્યનું જે રંગાયેલું સ્વરૂપ અનુભવ્યું તે ઈશ્વર છે, પણ ઉપર જે રંગરહિત સૂર્ય તપે છે તે છે કૈવલ્યબ્રહ્મ
આ બધી સંસ્કૃતિમાં “અણછતો જીવ હું હું કરે'(૧૯.૧૦). અખો ‘દરપણ મૂકીએ સામસામાં'- એ દૃષ્ટાન્ત દ્વારા પણ પરબ્રહ્મરૂપી અરીસામાં “અજા આવી અણછતી આવી ભાસી' (૨૨.૬-૯) એ દર્શાવે છે. આકાશમાં વિવિધ રંગનાં વાદળો ઊપજે છે ને વિલીન થાય છે, પણ વ્યોમ યમનું ત્યમ કપૂરનું દૃષ્યત આપી કહે છે: ‘એ તો અરૂપ કેરું રૂ૫ બંધાયેલ, પાછું રૂપ અરૂપ થઈ જાય'. અને મૂળ વાત એ દઢાવે છે : “ભાઈ, જે છે તે તો એ જ છે. બીજો વિચાર મનનો ઘડ્યો' (મનાતચૈવ સર્વસ્ય વિત્તદ્દશ્ય હિ તત:). પરબ્રહ્મ અને નરને અખો અનુક્રમે નર અને પ્રતિબિંબ સાથે સરખાવે છે : “અણછતો જીવ થાયે ઊભો... નરને ઉછાંઈયો કયમ કળે તે હીંડે બુદ્ધિમાંહાં આણવા (૨૦.૨). મન અશેષ થઈ જાય એટલે પછી કેવળ પરબ્રહ્મ રહે : “મન મૂઆ તબ હૈ સબ રામા' પદ ૫).
૨. બ્રહ્મ પામવાના ઉપાયમાં વિરહવ્યાકુલતાનું અખો મહત્ત્વ કરે છે – આતુરતા મન અતિ ઘણી, જ્યમ મીન વિછર્યું નીરથી, અજ્ઞાન-સીંચાણો લેઈ ઊડ્યો, તેણે દૂર નાંખ્યું તીરથી. તે તડફડે તલપે ઘણું બેહનો સૂર ઉપર તપે, સંસાર રૂપી ભૂમિ તાતી, નીરનીર અહર્નિશ જપે.