________________
૪૦૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ- ૧
કાલ-સીંચાણો શિર ભમે તે તેની દષ્ટ પડે, નીરવિહોણું વધુ દાઝે, ફાળ ભરે ને ફડફડે. નયણે નીર દેખે નહીં, કળકળે કાળજ બળે. પેટે પૂઠે કે પસૂઆડે યમ પડે ત્યાં દાઝે ઝળે. કામધેનુના પય વિષે જો કોઈ મૂકે તેહને, તો-વે આપન્યા નોહે મકરને, વારિ વહાલું જેહને.
જળ ઝંખતા મત્યની યાતનાના હૂબહૂ ચિત્રણમાં ગુજરાતી ભાષાની શક્તિનું -ખાસ કરીને ક્રિયાપદોની શક્તિનું (તડફડે તલપે, ફાળ ભરે... ફડફડે, કળકળે, દાઝે ઝળ) સુંદર દર્શન થાય છે. જળાશયથી ચુત થયેલા મત્સ્યને કામદુધાના પયમાં નાખતાં પણ શાતા વળવાની નથી. આવો ગ્રેહ વિરાગ’ જેને વ્યાપ્યો હોય તે જીવપણે જીવે નહીં.”
અખાએ સમકાલીનોમાં ભક્તિને નામે ચાલતી વેવલાઈ અને વિલાસિતા જોયાં હશે. એ તો જ્ઞાન અને વૈરાગ્ય જેની સાથે અંગાંગભાવથી જોડાયેલાં હોય એને જ ભક્તિ તરીકે સ્વીકારવા તૈયાર છે. એક અદ્ભુત ઉપમાથી એ સંબંધ એ નિર્દેશે છે: ભાઈ, ભકિત જેઠવી પંખિણી જેને જ્ઞાનવૈરાગ્ય બે પાંખ છે.
જ્ઞાન એટલે શું? જ્ઞાની છે, જેને પ્રગટે પરમાત્મા.”
હૃદ-ગુહામાં રામ પ્રગટ્યો, તેણે પાલટો મનનો થયો. માયાને ઠામ બ્રહ્મ ભાસ્યો, સંસારનો સંભવ ગયો. (૧૨.૨)
ખોટાં સાધનની અખો ખબર લઈ નાખે છે. ષડ્રદર્શન આદિની મર્યાદાઓ ત્રણ કડવાં (૨૯-૧૦) ભરીને એણે આલેખી છે. ખાસ તો શૂન્યવાદીઓ ઉપર એને દાઝ ચડે છે, કેમ કે તે પરપંચ મિથ્યા કહે, પણ રુદે જગત સાચું સહી' (૨૬.૨) અને ‘દે’ સુધી તેની દશ્ય છે' (૨૭.૧૦). આત્મઉદ્યોત વિનાની ચિત્રામણની જ્યોતથી શું વળે? એવા “અધમ શૂન્યવાદી' “તે શૂન્યવાદીએ પૂરા નહીં એમ કહી અખો ઉમેરે છે કે સાચા શૂન્યવાદી અદ્વૈતમાં રમે છે. “ખરા શૂન્યવાદી તેહને કહીએ જે વસ્તુ વિશ્વ બે ન કરે સહી' (૨૬.૧૦).
૩. બ્રહ્મભાવ પામેલી વ્યક્તિઓનું વર્ણન અખો ઉલ્લસિત ચિત્તે કરે છે. અધ્યાત્મસાધનાનો ખ્યાલ છેવટે તો અધ્યાત્મ જીવતી વ્યક્તિ કેવી હોય તેના વર્ણન