________________
૪૦) ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
બહુ સૂક્ષ્મ હોય છેઃ “ચાલ્ય ચાતુરી ચોદ વિદ્યા અવિદ્યા સર્વ સાધના, પંડિત જાણ કવિ ગુણી દાતા, –એ માયા કેરી આરાધના'.
માયા મોટી નદી છે. “સમજી ન જાય એવી છે, દેખાતી નથી, વસ્તુતઃ છે પણ નહીં અને તે છતાં ભારે સામર્થ્યવાળી છે. ૧. ચિતુશક્તિ ૨. શૂન્યસ્વામિની અને ૩. પ્રકૃતિ રૂપે આ સચરાચર સૃષ્ટિની એ આદ્ય જનની છે. ચૌદે લોકને એણે જન્મ આપ્યો છે. ઓમ્કારની પણ પહેલાં એ હતી. પંચીકરણ'માં અખાએ દર્શાવ્યું છે એમ –
વસ્તુ વિષે સ્વભાવું શૂન્ય, તે માંહાં પ્રણવ ઉઠે ધૂન્ય, તે ઓંકાર જાણે ત્રિવર્ગ, તત્ત્વ તે તેહેનો ઉપસર્ગ. ૪
-બ્રહ્મવસ્તુ તો સ્વભાવે શૂન્ય છે, તેમાં પ્રણવની–મૂકારની ધૂન ઊઠતાં ત્રણ ગુણો (મુના અ, ઉ અને મું, અનુક્રમે સત્ત્વ, રજસ્ અને તમસ) અને તેમાંથી મહાભૂતો આદિની સૃષ્ટિ સર્જાય છે. બ્રહ્મ “નાયાસમલિત’–માયાશક્તિથી શબલિત (કે સંમિલિત?) - થતાં આ નામ-રૂપવાળી સૃષ્ટિરૂપે વિકસે છે. જેમ ઠંડીને લીધે પાણીમાં જડતા પ્રગટે અને એ બરફરૂપે પ્રતીત થાય તેમ બ્રહ્મ જ માયા-શબલિત થતાં સૃષ્ટિરૂપે પ્રતીત થાય છે.
જાગ્રત સ્વપ્ન જેવું, ચિત્તે પ્રકલ્પેલું, નામરૂપની સૃષ્ટિવાળું, માયાશવલિત બ્રહ્મનું રૂપ સાચા જ્ઞાનના પ્રભાવથી શમી જતાં, એ બધાથી પર છવીસમો પરમાતમા’ (પરબ્રહ્મ) જેવો હતો તેવો, યથાસ્થિત, જેમનો તેમ અનુભવ–ગોચર થાય છે. નથી એમાંથી કાંઈ જન્મતું, નથી એમાં કશું પરિવર્તન થતું.
આ રીતે અખો ગૌડપાદાચાર્યના અજાતિવાદ પ્રમાણેનું અને ઓમ્કાર અથવા પ્રણવ અથવા શબ્દબ્રહ્મ વડે જગતનાં સર્જન-સ્થિતિ–લય નિર્દેશતા પ્રણવાનુસંધાનના વિચાર પ્રમાણેનું પોતાનું દર્શન નિરૂપે છે.
ગૌડપાદાચાર્યે નિરૂપ્યું છે : ને શત્ વસ્તુ નાતે ગૌડપાદકારિકા ૪.૨૨) - કશી વસ્તુ જન્મતી નથી. તત્તત્તમં સત્ય યત્ર વિન નીયતે (૩.૪૮) – કશાનો જન્મ થતો નથી એ જ ઊંચામાં ઊંચું સત્ય છે. મનાતચૈવ સર્વસ્ય વિદ્શ્ય હિં તદ્યત: (૪.૭૭)- જેનો જન્મ થયો નથી તે સર્વ ચિત્તને ભાસે છે. માયાજગત ચિત્ત પ્રકલ્પેલું છે, વસ્તુતઃ નથી. માયામાત્રમિટું વૈત મતે પરમાર્થત: (૧.૧૭) – આ ટૅત જે ભાસે છે તે તો માયામાત્ર છે, વસ્તુતઃ તો એકલું બ્રહ્મતત્ત્વ જ છે. અખાના શબ્દોમાં :
ફૂટસ્થ આત્મા બ્રહ્મ કેવલ, તેહનો સર્વ સંસાર; જેહને વિશેષણ એકે ન લાગે, તે વિલસી રહ્યો સંસાર. (૧૮.૮)