________________
૩૯૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
તું સાથીકંઠ ન લાગી રે, ‘આલી સબ સખિયનમેં કવન શ્યામ સબનમેં હરિ રહ્યો લુકાઈ, રસબસ ખેલત નિત્ય ફાગુ, સુરતસાગર કો નાંહી તાગ, કહેત અખા ભયો રંગરોલ, સદા નીરંતર હૈ કોલ.’ ‘અખેગીતા'ના અંતિમ પદ “અભિનવો આનંદ આજ અગોચર ગોચર હવું એ'-માં અને ખાસ તો “આજ આનંદ મારા અંગમાં ઊપન્યો' એ પદમાં અનુભૂતિના આનંદનો સ્પષ્ટ રણકો છે.
આજ આનંદ મારા અંગમાં ઊપજો, પરિબ્રહ્મની અને ભાળ લાગી. તે રે વહાલો મુજ પાસથી પ્રગટિયો, સદ્ગુરુ શબ્દની ચોટ લાગી. કોઈ કહે જીવ છે, કોઈ કહે શિવ છે, થાપઉથાપમાં કોઈ ન સીધો, . આપ તે આપનો અમીરસ ઘૂંટવા શિવ તે જીવનો વેશ લીધો. હાથથી નાખીને દૂર લેવા ગયો, જાણે શું વસ્તુ નવ હોય આવી? આવી અજ્ઞાનની આડ ઊભો રહ્યો, તારે માટે તું તો જોને જાગી. હું ટળ્યો, તું ઠર્યો, કરતાર કરુણા કરી, સુખદુઃખ વૃક્ષની મૂળ દાઝી, સુપન સમાઈ ગયું, જયમ હતું ત્યમ થયું, અખે નિજપદ લહ્યું સુખની ગાદી.
નરસિંહના “જાગીને જોઉં તોને જાણે અહીં અખો આંબવા કરતો ન હોય! અંતના ‘સુપન સમાઈ ગયું માં અને જીવ-શિવના ઉલ્લેખમાં, છંદની પસંદગીમાં, આંતઋાસમાં તેમ જ આખી કૃતિના સૂરમાં એ પ્રતીત થાય છે. માનભેર નરસિંહના પદની પડખે ઊભું રહી શકે એવું પદ અખો આપી શક્યો છે, જે જેવીતેવી વાત નથી.
૨. “અખેગીતા ૮ આત્મવિદ્યા-બ્રહ્મવિદ્યા એ “અખેગીતાનો વિષય છે. હસ્તપ્રતમાં આરંભમાં ક્યારેક અથ સરીતા મહામોક્ષયિની તિરધ્યતે – હવે પછી મહામોક્ષ આપનારી અખેગીતા લખવામાં આવે છે એવા શબ્દો મળે છે. અખાએ જ કહ્યું છે કે “જીવ બ્રહ્મ માંહે ભળ્યાનો અખેગીતામાં ભેદ છે' ૩૫.૯) અને એમાં ‘ચરણે ચરણે આત્મવિદ્યા (૪૦.૮) છે.
‘અખેગીતામાં ૪૦ કડવાં અને ૧૦ પદમાં કર્તાએ કરેલા વિષયનિરૂપણનો આલેખ આ પ્રમાણે જોઈ શકાય : ૧. પ્રાસ્તાવિક, અદ્વૈત-અનુભવની ઇષ્ટતા કડવાં ૧ થી ૩ ૨. માયાનો પ્રભાવ કડવાં ૪ થી ૮