________________
૩૮૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧
તેઓ નહીં બતાવે, કેમકે નરસિંહની અને બીજી કૃષ્ણવિષયક કવિતામાં રસિકતા આગળ તરી આવે છે. અખામાં એમને કદાચ, આ ન જોવા મળતાં, એને ભાગે મૃત્યુસંદેશ’ના વાહકનું આળ આવે છે.
ખરી વાત એ છે કે સૌ ભક્તકવિ, શું નરસિંહ, શું અખો, શ્વાસે શ્વાસે આમુખિક જીવનની વાત કરનારા છે. બધાને મૃત્યુસંદેશ’ વાહકની ગાળ દઈ શકાય. હકીકત એ છે કે તત્ત્વજ્ઞાનનું અને ધર્મગવેષણાનું તો કામ જ છે મૃત્યુસંદેશ સાથે કામ પાડવાનું. પહેલું તો, “મૃત્યુનો નહીં પણ “મૃત્યુએ આપેલો એ સંદેશો છે, જેમ કઠોપનિષદમાં નચિકેતાને સાક્ષાત્ મૃત્યુ મુખેથી મળે પણ છે. એ સંદેશો પ્રેય-શ્રેયવિવેકનો છે, દેહભાવથી છૂટવાનો અને આત્મભાવથી વર્તવાનો સંદેશ છે, જેને સેવવાને परिमे भास. अथ मोऽमृतो भवति, मृत्युमुखात्प्रमुच्यते, आनन्त्याय कल्पते - મત્યે અમર્ત્ય બને છે, મૃત્યુમુખથી છૂટે છે, અનંતતાને પામે છે.
ગ્રીક ફિલસૂફ પ્લેટો જણાવે છે તેમ સોક્રેટીસ હાથમાં ઝેરનો પ્યાલો છે ને શિષ્યવૃંદને સમજાવે છે કે જીવન એ સતત મૃત્યુક્રિયા છે જે આત્મા જાણીબૂઝીને સ્વેચ્છાથી કદી પણ શરીર સાથે સંપર્કમાં રહ્યો નથી અને પોતામાં જે નિર્ભર રહ્યો છે, આવી રીતે અલગ રહેવું (એક્સ્ટ્રકશન) એ જ જેનું સતત પરિશીલન રહ્યું છે, બીજા શબ્દોમાં જે ફિલસૂફીનો સાચો ઉપાસક બન્યો છે અને તેથી મરવાની પ્રક્રિયામાં જ દિનરાત લાગેલો રહ્યો છે –કેમકે ફિલસૂફી એ મૃત્યુનું જ શું પરિશીલન નથી? તે આત્મા અમૃતત્વને પામે છે.”
પ્લેટોના આ શબ્દો જાણે અખો વાંચી ન આવ્યો હોય એવા એના ઉદ્દગારો છે : મરતાં પહેલાં જાને મરી.. જ્યમ અણહાલ્યું જળ રહે નીતરી. પ્લેટોના એક્સ્ટ્રકશનનો જ આ શબ્દોમાં અનુવાદ મળી રહે છે. હરહમેશની મરણપ્રક્રિયાના વિચારનો પણ અખામાં સુંદર રૂપમાં ભેટો થાય છે :
પરમ પીયૂષ અને પાન કરવું, ક્ષણક્ષણે, જન્મ ટળે એવું, મરવું.
તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનકવિતા મૃત્યુસંદેશ અવશ્ય આપે છે. પણ એ ક્ષણેક્ષણે એવું મરવાનું કહે છે કે જેને અંતે અમૃતત્વ મળે.
પણ આવી ચર્ચાઓમાં જે એક વસ્તુ ભુલાઈ જાય છે તે એ છે કે આમુખિક જીવનની વાત કરનાર તત્ત્વજ્ઞાનકવિતા, ધર્મકવિતા, ઘણીવાર જીવનને વસ્તુતઃ અગણિત બિંદુઓએ સ્પર્શતી હોય છે અને એવા ગાયકની ઇહજીવનની સૂક્ષ્મ જાણકારીની ચાડી ખાતી હોય છે.