________________
૩૯૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
કશું સિદ્ધ ન કરી શકે. “ઘરડા બળદને ઘાલી નાથ' એ લીટી ખરેખર અખાએ લખી હોય એમ માનવામાં અર્થસંગતિનો વાંધો નથી. પણ એ પાઠવાળી હસ્તપ્રતો એ પંક્તિની પછી ૩00મા છપ્પામાં પ્રસ્તુત એવી ધન હરે’ વાળી પંક્તિ આપે છે અને પાંચમી છઠ્ઠી પંક્તિ તરીકે “અખા ગુરુ જ્ઞાની કરવા ખરા, જે હરિ દેખાડે સભરા ભર્યા આપે છે, જે ૩૨૨મા છપ્પામાં આવતી ‘તે માટે જ્ઞાની ગુરુ કરો, જે હરિ દેખાડે સભા ભર્યો' પંક્તિઓ જ છે. આમ “ઘરડા બળદરવાળો પાઠ આપતી હસ્તપ્રતોમાં પછીની ચાર પંક્તિઓનો પાઠ પણ વીંખાઈ ગયો છે.
વૈષ્ણવ આચાર્ય પ્રત્યે અખાની કહેવાતી ટીકાવૃત્તિને જનશ્રુતિએ ઉઠાવ આપ્યો લાગે છે, પણ તેને માટે કોઈ આધાર નથી.
લેભાગુ ગુરુઓનો અખો તીખો ટીકાકાર છે, પણ ગુરુત્વનો એ વિરોધી નથી. સાત “વાર' લખે છે ત્યારે એ ગુરુવારથી શરૂ કરે છે. ‘અખેગીતાના દરેક કડવાને અંતે આવતા “સેવો હરિ-ગુરુ-સંતને' એ શબ્દો બતાવે છે કે જીવન્મુક્ત જ્ઞાની સંત એ જ ગુરુ છે, એ જ હરિ છે એવું સમીકરણ અખાએ અનુભવ્યું છે. અખાનો ગુરુ હાડમાંસના માનવ કરતાં વધુ તો માનવમાં પ્રગટ થતું પરમતત્ત્વ છે. એથી એ ગોકુલનાથના ઉલ્લેખવાળા છપ્પા પછી એક છપ્પા બાદ (૧૭૦માં) “આત્મા ગુરુ થવાની વાત કરે છે અને ગુરુ થા તારો તું જ એમ “અનુભવબિંદુમાં અનુરોધ કરે છે.
પોતે ગોકુલનાથને ગુરુ બનાવી પોતાને સન્માર્ગે વાળવાનો પ્રયોગ કરી જોયો છે એ અંગે પ્રપંચભંગનો ગોકુલનાથવાળો ઉલ્લેખ છે. એ ઉલ્લેખ નિષ્ફળ અખતરાનો છે, જેમાં દોષ એણે પોતાનો જોયો છે. નિષ્ફળ સાધનાક્રમમાં એ જેમ અમુક માનવગુરુનો નામોલ્લેખ કરે છે, તેમ “આત્મા ગુરુ શી રીતે થયો (એ તો કહે છે કે “આવી અચાનક હરિ પરગટ થયો') – એ સફળ સાધનાક્રમમાં ને સાધનોત્તર ક્રમમાં કોઈ માનવ ગુરુ હોય તો તેનો સ્પષ્ટ નામોલ્લેખ એણે કર્યો નથી.
૬. અખાના ગુરુ “બ્રહ્માનંદ૦ –‘અખેગીતા'ની પ્રચલિત આવૃત્તિઓમાં પાંચમી પંક્તિને અંતે બ્રહ્માનંદની' શબ્દ આવે છે. એ ઉપરથી સસ્તું સાહિત્યની “અખાની વાણી'ની પ્રસ્તાવનામાં સ્વામી સ્વયંજ્યોતિ કહે છે કે “મંગલાચરણમાં એની ગુરુમૂર્તિના નામનો આમ એ ઉલ્લેખ કરે છે. નર્મદાશંકર દે. મહેતા સમાસ શબ્દનો અર્થ તો બ્રહ્મતત્ત્વનો આનંદ એવો કરે છે પણ “અખો શલેષછાયા વડે બ્રહ્માનંદ ગુરનો ઉલ્લેખ કરે છે૧૧ એમ કહે છે.