________________
૨૭૬
૮ ફાગુસાહિત્ય : જેન અને જેનેતર
કાન્તિલાલ વ્યાસ
૧. ગુ–સ્વરૂપનો ઉદ્ગમ સમસ્ત સાહિત્યનો ઊગમ જીવનમાંથી છે – માનવજીવન, એના આનંદઉલ્લાસ, આકાંક્ષા અભિલાષાઓ, એની આશાનિરાશાઓ એ સાહિત્યનું પ્રભવસ્થાન છે. કેટલીક વાર માનવજીવનના આ વિવિધ ભાવો પ્રથમ લોકસાહિત્યમાં ઝિલાય છે, અને પછી એ લોકસાહિત્યનું સ્વરૂપ કલા-સંસ્કાર પામીને કાલક્રમે શિષ્ટ સાહિત્યમાં સ્થાન પ્રાપ્ત કરે છે. પ્રાચીન ગુજરાતી ફાગુસ્વરૂપ એનું ઉદાહરણ છે. એનો ઉદ્દગમ પ્રચલિત લોકનૃત્યગીતના સ્વરૂપમાંથી થયો છે.
સંસ્કૃતપ્રાકૃતથી માંડીને અપભ્રંશના સમય સુધીના પ્રાચીન સાહિત્યમાં ‘ફાગુ' સ્વરૂપની રચનાઓ ક્યાંયે મળતી નથી. વસ્તુતઃ તો ફગ્ગ' (ફાગુ) શબ્દ દેશ્ય મૂળનો છે, અને પ્રાચીન ગુજરાતના સમયથી જ એ પ્રચલિત થયો છે; એની પૂર્વે એ મળતો નથી. સંસ્કૃત કોશોમાં નિર્દેશાયેલો ! (વસંતોત્સવ) શબ્દ પ્રાચીન કોશોમાં મળતો નથી; એ કેવળ દેશ્ય | શબ્દનું જ સંસ્કૃત રૂપાન્તર છે.
પ્રાચીન ગુજરાતમાં વસન્ત અવતરતાં વસન્તનાં લોકગીતો ગાવાની પ્રથાના અનેક ઉલ્લેખો મળે છે. એ લોકગીતો સ્ત્રીઓ અને પુરુષો દાંડિયારાસ સાથે ગાતાં. મારવાડમાં હજીયે એ પ્રથા ચાલુ છે. ફાગણનો આરંભ થતાં જ રાજસ્થાનના નગરનગરમાં અને ગામગામમાં ચોકમાં આ લોકગીતનૃત્યો (“ધિનડ') હજીયે મુક્તપણે ગવાય છે. એને લોકવાણીમાં ‘ફાગ' કહેવામાં આવે છે. એમાં ફાગણ માસમાં–વસન્તમાં-સ્ત્રીપુરુષોનો વિહાર વર્ણવેલો હોય છે. ઘણીવાર એનાં શૃંગારપ્રચુર વર્ણનો ભદ્રસમાજની શિષ્ટતાની મર્યાદા અતિક્રમી જતાં હોય છે.
લોકવાણીના આ ફાગને સંસ્કારીને પ્રાચીન ગુજરાતી કવિઓએ ‘ફાગુ' કાવ્યનું એક વિશિષ્ટ, મનોરમ સાહિત્યસ્વરૂપ સરજાવ્યું. એ યુગમાં પ્રચલિત રાસ, ઘઉલ,