________________
ફાગુસાહિત્ય : જૈન અને જૈનેતર ૩૦૩
બંને ફાગુઓ કથાકાવ્ય કે ચરિત્ર રૂપના છે.
કનકસોમનો મંગલકલશ ફાગ – મધ્યકાલની એક કૌતુકભરી વાર્તાનું કથન છે. એના કવિએ જો એને “ફાગુ' નામ ન આપ્યું હોત તો આપણે એને શામળની સુપ્રસિદ્ધ વાર્તાઓની એક પુરોગામી કથા જ ગણી લેત. એનાં મૂળ “બૃહત્કથા કે કથાસરિત્સાગર' સમા પ્રાચીન ભારતીય લોકકથાસાહિત્યમાં સંભવે છે. એના પહેલા પદ્યખંડના શીર્ષકમાં “ઢાલ ફાગનો ઉલ્લેખ છે, અને અંતે પુષ્યિકામાં કાવ્યનો ફાગ' તરીકે નિર્દેશ છે. બાકી, આ તત્ત્વતઃ તો પ્રબન્ધ” કે “ચરિત' સ્વરૂપનું કાવ્ય, અથવા કહો તો સુદીર્ઘ (૧૬૬ કડી જેટલું લાંબું) કથાકાવ્ય છે.
કલ્યાણકૃત “વાસુપૂજ્ય મનોરમ ફાગ– આનાથીયે વધારે વિસ્તારવાળું, ૩૨૮ કડીનું કલ્યાણકૃત “વાસુપૂજ્ય મનોરમ ફાગ' કાવ્ય છે. એમાં બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્યનું ચરિત્ર આલેખ્યું છે. કાવ્યના બે વિભાગ છે, જેમને ઉલ્લાસ' નામ આપ્યું છે. ૧૫૬ કડીએ પહેલો ઉલ્લાસ પૂરો થાય છે, તેમાં તીર્થકરના પૂર્વજન્મોનો વૃત્તાન્ત છે; ૧૫૭મી કડીથી એમના તીર્થંકરભવની કથા આપી છે. ચંપાપુરીના વસુપૂજ્ય રાજાની જયા નામની રાણીને પેટે એમનો જન્મ થયો. એ સમયે માતાએ ચૌદ મંગલસ્વપ્નો જોયાં. એ યુવાવસ્થામાં આવ્યા ત્યારે પિતાએ એમને લગ્ન કરવાનો તથા રાજ્યાસન સ્વીકારવાનો આગ્રહ કર્યો, પણ એમણે ના પાડી અને સાંવત્સરિક દાન આપીને અનેક રાજાઓ સાથે દીક્ષા લીધી. એક માસ ગુપ્ત વેશે રહ્યા પછી એમને કેવલજ્ઞાન થયું.
પ્રારંભિક શ્લોકમાં કર્તાએ વર્ચે મનોરH BY એમ જણાવ્યું છે, અને આરંભની અન્ય કડીઓમાં એનો “ફાગ' તરીકે કર્તાએ ઉલ્લેખ કર્યો છે, થોડુંક પ્રાસંગિક વસન્તવર્ણન પણ એમાં આવે છે, છતાં આ કાવ્યમાં ફાગનાં લક્ષણો કરતાં રાસ કે પ્રબન્ધનાં લક્ષણો જ પ્રધાન છે એ સ્મરણમાં રાખવું ઘટે છે.
બંને ફાગોની ભાષાશૈલી પ્રાસાદિક અને મનોરમ છે, અને સંવિધાન સુંદર છે.
રત્નમંડનગણિરચિત “નારીનિરાસ ફાગ’ - પ્રાચીન પ્રશિષ્ટ જૈનેતર ફાગુરચના ‘વસંતવિલાસથી આપણે આ અધ્યયનનો આરંભ કર્યો, તો બરાબર જાણે એ પૂર્વરચનાના રસાલંકાર અને કથયિતવ્યનું નિરસન કરવાને જ રચાયો હોય એવા, રત્નમંડનગણિના “નારીનિરાસ ફાગ'થી એનું સમાપન કરીએ એમાં ઘણું ઔચિત્ય
તપાગચ્છના આચાર્ય સોમસુંદરસૂરિના કે તેમના શિષ્ય સોમદેવસૂરિના શિષ્ય