________________
૩૩૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨,ખંડ- ૧
આવતાં આવતાં આવતાં રે બાણ વાગ્યાં મોહનનાં આવતાં રે
કાનુડે માર્યા છે અમને તીર' કાનુડે મેલ્યાં તાકી તીર’ નનકમળનો પલકારો રે ભારે તીર માર્યો તાકી પ્રેમની કટારી મુંને મારી ‘અમને પ્રેમકટારી મારી “મુને મારી રે મુને મારી નયન કટારી રે લટકાળો રે ગિરિધરધારી, મને મારી છે પ્રેમકારી રે “પ્રેમ તણી કરી મારી રે અળગી ન રહી લગાર’ કટારી મારી વહાલે થઈ ચકચૂર રે શું જાણે જૂઠડો સંસાર' પ્રેમની કારી અને ખેંચકર મારી થી થઈ ગઈ હોલબેહાલ હરિના પ્રેમની કટારી મારી છે લાગી મારા પાંસળિયામાં પાર'
લાગી શબ્દની કટારી મારા મનમાં કટારી લાગી આરપાર' પ્રેમની, પ્રેમની પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની
મીરાંનો પ્રેમ, પરમેશ્વર પ્રત્યે મનુષ્ય જ્યારે પરમેશ્વર પ્રત્યે પ્રેમની પહેલ કરે છે ત્યારે એ પ્રેમની ગતિવિધિ પર એનું પોતાનું નિયમન અને નિયંત્રણ હોય છે, એ પ્રેમની નીતિરીતિ પોતાને અનુસાર અને અનુકૂળ હોય છે. એ પ્રેમમાં એ સ્વાધીન અને સ્વતંત્ર હોય છે. એ પ્રેમમાં એની પોતાની સગવડ અને સલામતી હોય છે. એ પ્રેમ પર એનું વર્ચસ્ હોય છે. અલબત, મનુષ્ય અપૂર્ણ છે એથી એનો પ્રેમ પણ અપૂર્ણ હોય છે. પણ પરમેશ્વર પૂર્ણ છે એથી પરમેશ્વરનો પ્રેમ પણ પૂર્ણ હોય છે. પણ પરમેશ્વર જ્યારે મનુષ્યને પ્રેમ કરે છે ત્યારે એ એની પૂર્ણતાથી, એના પૂર્ણ ઐશ્વર્યથી પ્રેમ કરે છે. એથી પરમેશ્વરનો આ પ્રેમ એવો તો અજેય અને અનિરુદ્ધ હોય છે, દુર્દમ્ય અને દુર્નિર્ધાર હોય છે. એથી જે મનુષ્યને પરમેશ્વર