________________
મીરાં ૩૩૯
બીવડાવો તે બીજી નારી, ખરું લોઢું ને આરસપહાણ,
વૃન્દાવનની કુંજગલીમાં તું હલકું પીપળિયાનું પાન વૃન્દાવનની કુંજગલીમાં વાળ્યાં અમારાં વાન,
નારી આગળ શું નૃત્ય કરો છો? હજુ ન આવી સાન’
સમજે નહીં શ્યામ તું તો ભોળો’ તો ક્યારેક પરમેશ્વરની શઠબુદ્ધિ માટે પરમેશ્વરને રોકડું પરખાવે પણ છે :
ઘણા કપટી, નથી ભોળા મધરાતે મથુરાથી રે નાઠો એ તો નથી અમને રે અજાણ
‘દાન લેવાની ગરજ પડે તો આવજો ગોકુળ ગામ' અને પરમેશ્વરની આવી અકળ ગતિ અને વિચિત્ર મતિ પ્રત્યે ભય અને શંકાથી પરમેશ્વરને ચીમકી પણ આપે છે :
‘પ્રીત કરી તે પાળજો. પરમેશ્વર પૂર્ણ છે એથી પરમેશ્વરનો પ્રેમ પણ પૂર્ણ છે. પણ મીરાં તો મનુષ્ય અને મનુષ્ય અપૂર્ણ છે એથી મનુષ્યનો પ્રેમ પણ અપૂર્ણ છે. મીરાંને પોતાની અપૂર્ણતાનું, પોતાના પ્રેમની અપૂર્ણતાનું પૂર્ણ જ્ઞાન છે. એથી મીરાંના કોઈ કોઈ પદમાં મીરાંની નમ્રતા અને ન્યૂનતા પ્રગટ થાય છે:
કૂપ જો હોય તો ગાળીએ નીર કૂપના, સાગરને કઈ પર ગાળીએ?” કૂવી હોય તો ગાળીએ વાલીડા સમદર ગાળ્યા કેમ જાય?
ખેતર હોય તો ખેડીએ વાલીડા ડુંગર ખેડ્યા કેમ જાય?” પણ પરમેશ્વરની પૂર્ણતાની અને પરમેશ્વરના પ્રેમની પૂર્ણતાની મીરાંને પ્રતીતિ છે એથી એનામાં અનન્યતા અને ધન્યતા છે. પરમેશ્વર અનાદિઅનંત છે, અજરઅમર છે. અને એથી પરમેશ્વરનો પ્રેમ પણ અનાદિઅનંત, અજરઅમર છે. અને પરમેશ્વર પ્રત્યે પોતાનો જે પ્રેમ છે, પોતાની જે ‘પરા અનુરમિત રૃશ્વરે જે ભક્તિ છે તે
પરમપ્રેમસ્વરુપ’ અને ‘અમૃતસ્વરુપ' છે. એમાં પોતાનું સદ્ભાગ્ય, ચિરસદ્ભાગ્ય છે, પોતાનું સૌભાગ્ય, ચિરસૌભાગ્ય છે. અને એથી “ચત્ cથ્વી...સિદ્ધ મવતિ અમૃતો મવતિ તૃપ્તો મવતિ' –એને પામીને હવે પોતે સિદ્ધ, અમૃત અને તૃપ્ત છે. કારણ પરમેશ્વરને મેળવ્યા પછી મનુષ્યને અન્ય કંઈ મેળવવાનું રહેતું નથી. અને यत् प्राप्य न किंचित् वांछति न शोचति न दृष्ट न रमते न उत्साही भवति' –એને પામીને હવે એને કોઈ ઇચ્છા નથી,શોક નથી, રાગ નથી, ઉત્સાહ નથી.