________________
મીચું ૩૩૭
“પ્રેમ કૂવામાં અમને ઊંડાં ઉતાર્યા ‘ઊડે કૂવે ઉતારિયા તરત ત્રુટ્યા વરત' ઊંડે કૂવે ઉતાર્યા વહાલા છેહ આમ શું દ્યો છો રે?”
‘ઊંડા કૂવામાં ઉતાર્યા વહાલા વરત વાઢી શું જાઓ છો રે?” અરે, એક ક્ષણની પણ મુક્તિ નથી પરમેશ્વરના આ પ્રેમમાંથી એવું પણ મીરાંના કોઈક પદમાં સૂચન છે:
‘તારી મોરલીમાં ભરી મોણવેલ
ઘડી વિલંબો તો ભરી લઉં હેલ' પરમેશ્વરના પ્રેમની સમક્ષ પોતે કેવી તો નિઃસહાય અને નિરાધાર છે એવું પણ મીરાંનાં કોઈ કોઈ પદમાં પ્રગટ થાય છે:
“પ્રીત કરી વહાલે પાંગળાં કીધાં બાણે વીંધ્યા છે મારા પ્રાણ” પિયુજી અમારો પારધી ભયો થે મેં તો ભઈ હરિણી શિકાર કાનુડે માર્યા છે અમને તીર કાનુડે બાળીને કીધાં ખાખ, રાખ ઉડાડી ફર૨૨'
પ્રેમ થવો એ વસમું છે પણ પ્રેમ ન થવો એ એથી યે વધુ વસમું છે. વળી પ્રેમ તો પરમેશ્વરે સ્વયં સામેથી એને અર્પણ કર્યો છે એથી મીરાં એવી તો પ્રસન્ન પ્રસન્ન છે :
હાં રે પ્રભુ આવ્યા છે મારા હાથમાં તારી લેહ લાગી પ્રેમમગનમાં હું રાજી'
પરમેશ્વર જેમ મનુષ્યને પ્રેમ કરવાનો આરંભ કરે છે પછી એનો અંત જ નથી, પછી પરમેશ્વર અટકતો નથી, જંપતો નથી તેમ મનુષ્ય પણ પરમેશ્વરને પ્રેમ કરવાનો આરંભ કરે છે પછી એનો અંત જ નથી, પછી મનુષ્ય અટકતો નથી, જંપતો નથી. પ્રાણાન્ત પણ મનુષ્ય એ પ્રેમ છોડતો નથી એવું મીરાંનાં કોઈ કોઈ પદમાં પ્રગટ થાય છે :
નહીં રે વિસારું હરિ અંતરમાંથી નહીં રે વિસારું હરિ.” મીરાંને હૈયે લખાણાં હરિનાં નામ રે, નામ નહીં રે છોડું ગિરિધરલાલ વિના ઘડી ન ગોઠે
હરિરસ ઘોળી ઘોળી પીધાં.”