Book Title: Gujarati Sahityano Itihas Part 02 Khand 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 357
________________ ૩૪૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ મીરાંની સમકાલીન મહાન સ્પેનીશ સંત અને ભક્ત સેન્ટ તેરેસાની પ્રાર્થનાપોથીમાંથી એના મૃત્યુ પછી એનું જે કાવ્ય મળી આવ્યું હતું એમાં આ આત્મબોધ છે, ‘Nada te turbe-Nada te espante-Todo se pasa-Dios no se muda-La paciencia todo lo aleanga-quien a dios tiene-Nada te falta-Solo Dios basta’– ‘કશું તને ક્ષુબ્ધ ન કરો-કશું તને ભયભીત ન કરો-બધું જ ક્ષણિક પરમેશ્વર શાશ્વત છે– ધૃતિથી બધું મળે છે – જેને પરમેશ્વર મળે – એને પછી શું મેળવવાનું રહ્યું? –માત્ર પરમેશ્વર મળે એટલે બસ'. સ્પેનીશ ભાષામાં અને સ્પેઈનના રહસ્યદર્શી સંતો અને ભક્તોની ભાષામાં, સવિશેષ સેન્ટ જહૉન ઑફ ધ ક્રોસના ગદ્યગ્રંથોમાં Nada- કંઈ નહીં, શૂન્ય અને Todo—બધું, સર્વ એ બે શબ્દો સૂચક છે. પરમેશ્વર બધું જ છે, સર્વ છે; પરમેશ્વર સિવાયનું જે કંઈ છે તે કંઈ નથી, શૂન્ય છે. છે મીરાંના સમકાલીન મહાન સ્પેનીશ સંત અને ભક્ત સેન્ટ જહૉન ઑફ ધ ક્રૉસની વાણીમાં ‘The soul that desires God to surrender Himself to it wholly must surrender itself to Him wholly and leave nothing for itself....Walk in solitude with God.’ પરમેશ્વર સ્વયં પોતાને સંપૂર્ણ આત્મનિવેદન કરે એમ જે આત્મા ઇચ્છે છે એણે ૫૨મેશ્વરને સંપૂર્ણ આત્મનિવેદન કરવું રહ્યું, એણે પોતાને માટે કશું જ ઇચ્છવું ન જોઈએ... એણે પરમેશ્વરની સાથે એકાન્તમાં વિહરવું જોઈએ.' એ હવે ‘ફરત ઉદાસ’- ઉદાસ, ઉદાસીન છે. ‘તત્ પ્રાપ્ય તદ્ વ અવલોતિ તદ્ વ કૃોતિ તદ્ વ ભાષાંત તદ્ વ ચિન્તયતિ” એને પામીને હવે એ એનું જ દર્શન કરે છે, એનું જ શ્રવણ કરે છે, એનું જ ભજનકીર્તન કરે છે, એનું જ ચિન્તન કરે છે. અને મૃત્ જ્ઞાત્વી મત્તો મતિ, સ્તવ્યો મવતિ, આત્મારામા મતિ' એને જાણીને હવે એ મત્ત છે, સ્તબ્ધ છે, આત્માથી આત્મામાં પ્રસન્ન છે. વળી આ પ્રેમ પ્રતિક્ષા વર્ધમાનન્ અવિચ્છિન્નમ્ સૂક્ષ્મતરમ્ અનુભવરૂપમ્” -ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે, અતૂટ હોય છે, સૂક્ષ્મતર હોય છે અને અનુભવરૂપ એટલે કે અનુભવથી જ સમજાય છે. મીરાંને નાનપણમાં જ પરેમશ્વરનો અનુભવ થયો અને તે જ ક્ષણે અને ત્યારે પછી જીવનભર ક્ષણે ક્ષણે એણે એનો સંપૂર્ણ સ્વીકાર–પુરસ્કાર કર્યો એથી મીરાંનો પ્રેમ નકારાત્મક, પ્રતિકારાત્મક, પ્રતિક્રિયારૂપ ન હતો; હકારાત્મક હતો. મીરાંનો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ એ સ્વીકાર–પુરસ્કારનું સાહસ હતું. એ જગત અને જીવનમાંથી, સંસારમાંથી કોઈ ભયભીત, ભીરુ, કાયર વ્યક્તિનું પલાયન ન હતું. મીરાંને જગત અને જીવન પ્રત્યે, સંસાર પ્રત્યે વૈરાગ્ય હતો એથી એને પરમેશ્વર પ્રત્યે રાગ ન હતો. પણ મીરાંને –

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510