________________
૩૮૧
૧૧ અખો
ઉમાશંકર જોશી
૧. જ્ઞાનમાર્ગી કવિતાનું શિખર ૧. અખાનું સમન્વય દર્શન – મધ્યકાલીન હિંદમાં ભક્તિનું પ્રચંડ મોજું આવ્યું અને ખાસ કરીને ઉત્તર હિંદની ઉદયમાન નવી નવી અર્વાચીન ભાષાઓને એણે નવપલ્લવિત કરી મૂકી. ભાષાઓમાં જે ભક્તિસાહિત્ય પ્રગટ્યું તેમાં સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિની એમ બે મુખ્ય ધારાઓ છે. સગુણ ભક્તિ રામાશ્રયી અને કૃષ્ણશ્રયી એમ બે સ્વરૂપની જોવા મળે છે. ગુજરાતમાં રામાશ્રયી ભક્તિધારા ભાલણ, પ્રેમાનંદ, ગિરધર આદિમાં અને કૃષ્ણાશ્રયી ભક્તિધારા નરસિંહ, મીરાં, મધ્યકાળના અન્ય અનેક કવિઓ, સંતો અને દયારામમાં વ્યક્ત થાય છે. નિર્ગુણ ભક્તિના પ્રથમ પ્રબળ ઉગારો નરસિંહનાં પ્રભાતિયાંમાં મળ્યા, ત્યાર પછી અન્ય કવિઓમાં એ મળતા રહ્યા છે. અખાના સમકાલીનોમાં, ખાસ કરીને જ્યેષ્ઠ સમકાલીન “જ્ઞાનગીતા'કાર નરહરિમાં જ્ઞાનાશ્રયી કવિતાની એવી ભૂમિકા રચાય છે કે તે પછી જ્ઞાનમાર્ગી કવિતાનું શિખર અખો દૃષ્ટિએ પડે તો આશ્ચર્ય જેવું નથી. શાંકર વેદાંતનો જ નહીં, શંકર ઉપર જેમની અસર છે તે ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પણ અખાએ સબળ રીતે કવનમાં પુરસ્કાર કર્યો તે પહેલાં નરહરિએ પણ પોતાની રીતે કર્યો છે.
નિર્ગુણ ભાવનો ઉદ્ઘોષ અખાથી, નરસિંહથી, કબીરથી પણ પહેલાં નામદેવ જેવા સંતો દ્વારા થતો રહ્યો છે. અખો ભક્તિની વિવિધ સાધનાથી સુપરિચિત છે. નિર્ગુણ કથતાં કબીરને પ્રભવ્યો, સગુણ ગાતાં નરસે રે મહેતો' એમ એ એક અપ્રસિદ્ધ પદ (ફાર્બસ ગુજરાતી સભા, હસ્તપ્રત ૧૪૯)માં કહે છે. | ગુજરાતી સાહિત્યમાં જ નહીં, દેશના મધ્યકાલીન સાહિત્યમાં અખાનો અવાજ અનોખો છે. જો કોઈની સાથે ક્યારેક એનો અવાજ મળતો આવતો હોય તો તે કબીરના બ્રહ્મલલકાર સાથે. મધ્યકાળમાં કબીર અને અખાની જોડી તરત ધ્યાન