________________
૩૭૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧
આત્મદેવ કૃષ્ણજીનું દૈવત છે. એથી એ નિર્ગુણ ઉપાસક છે. “અલખ આત્મદેવને “રશિયો આત્મરામ' કહીને પણ એ ઓળખાવે છે. સાધનાનું પરમ પદ આ “રશિયો આત્મરામ' છે. કેવળ જ્ઞાન પામવું જોઈએ. અને એ પ્રમાણે વર્તવું જોઈએ, એવી વાત એણે કરી છે. વર્તન એવું બને તો જ માયાથી મુક્ત થઈ શકાય અને સમરસમાં લય પામી શકાય.
અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓમાં કાળક્રમમાં છેલ્લો પરંતુ મહત્ત્વનો કવિ છે, નરહરિ. અખો, ગોપાળદાસ અને બુટાનો એ વૃદ્ધ સમકાલીન હતો, એમ મનાય છે. ધનરાજની જેમ એણે પણ વેદાન્તવિષયની અનેક રચનાઓ રચી છે : “જ્ઞાનગીતા’ (ઈ.૧૬ ૧૬), “ગોપીઉદ્ધવસંવાદ', ‘હરિલીલામૃત', “ભક્તિમંજરી', પ્રબોધમંજરી', કક્કા, વિનંતી કીર્તનોનાં પદો, “સંતનાં લક્ષણ’, ‘વાસિષ્ઠસારગીતા', “ભગવદ્ગીતા', હસ્તામાલક', (ઈ.૧૬૪૩). વાસિષ્ઠસારગીતા” અને “ભગવદ્ગીતા' એની અનૂદિત કૃતિઓ છે અને બાકીની મૌલિક કૃતિઓ છે. “વાસિષ્ઠસાર ગીતા' એ લઘુયોગવાસિષ્ઠ કૃતિને ગુજરાતીમાં ઉતારે છે, તો ભગવદ્ગીતા” શ્રીમદભગવદ્દગીતાને. બંને કૃતિઓમાં નરહરિનો આશય માત્ર ભાષાન્તર જ કરવાનો નથી દેખાતો. કૃતિના તત્ત્વાર્થને ફુટ કરવા જરૂર લાગે ત્યાં, ગાંઠનું ઉમેરીને, દૃષ્ટાન્તો યોજીને યથોચિત વિસ્તાર પણ એણે સાધ્યો છે.
જ્ઞાનગીતામાં નરહરિએ આખ્યાનનો કડવાબંધ સ્વીકાર્યો છે. ૧૭ પદ, ૧૭ કડવાં, ૧૭ ધ્રુપદ અને ૨૫ સંમતિ શ્લોકની આ રચના બનેલી છે. નિરંજનદેવને અભિવાદન, નિર્ગુણબ્રહ્મનો ચોવીસ તત્ત્વો રૂપે વિસ્તાર, નિર્ગુણ-સગુણનો અભેદ, સિદ્ધયોગીનાં લક્ષણો, બ્રહ્મસ્વરૂપનું વર્ણન, આત્મજ્ઞાનનું સ્વરૂપ, આત્મવિવેક દ્વારા પરમાત્માની સર્વવ્યાપકતાનો અનુભવ, કર્મયોગ, સંતલક્ષણ મનોનિગ્રહનો ઉપાય, મહાવાક્ય વિવરણ, વસ્તુનો અનુભવ આદિ વિષયોનું નિરૂપણ નરહરિએ જ્ઞાનગીતામાં કર્યું છે.
હસ્તામલક' ચોપાઈબંધમાં રચાયેલી કૃતિ છે. જીવોબ્રહ્મવ અને સત્યનો અનુભવ લેવા માટે બ્રહ્મજ્ઞાનનો મહિમા શિવ-પાર્વતીના સંવાદરૂપે કવિએ પ્રસ્તુત કૃતિમાં ગાયો છે. બ્રહ્મજ્ઞાનની વાત કરતાં સહજસાધનાનો કવિએ કરેલો પુરસ્કાર નરહરિને જ્ઞાનાશ્રયી કાવ્યધારામાં નિશ્ચિત સ્થાન અપાવી શકે છે. સુરેશ જોશીએ નરહરિની સાધનાદષ્ટિએ આ કૃતિના સંદર્ભમાં વિકાસોન્મુખ સ્થિતિ જોઈ છે. હરિલીલામૃતમાં કવિને હરિરસનો જે અનુભવ થયો હશે, એની કૃતાર્થતાનો ઉદ્ગાર સંભળાવ્યો છે. ગોપીઉદ્ધવ સંવાદ