________________
૩૪૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
વારંવાર વિરહથી મિલનની ઇચ્છા વધુ ને વધુ તીવ્ર થાય છે. એથી પ્રેમીજનને વિરહમાં અંતે તો આનંદ જ હોય છે. મિલનમાં અને વિરહમાં એકસરખો આનંદ હોય છે. વિરહમાં આનંદ ગોપન હોય છે એટલું જ. પ્રેમમાં, શું મિલનમાં કે શું વિરહમાં દુઃખ હોય જ નહીં, મૃત્યુ હોય જ નહીં, આનંદ જ હોય, અમૃત જ હોય. મિલન માણવાનું હોય છે, વિરહ, એકલતાને કારણે, ગાવાનો હોય છે એટલું જ. એથી કવિતાના સંદર્ભમાં મિલનની અભિવ્યક્તિથી વિરહની અભિવ્યક્તિમાં અનુભવની વિશેષ તીવ્રતા તથા ભાવ અને રસની વિશેષ ઉગ્રતા પ્રગટ થાય છે. પરમેશ્વર અને પરમેશ્વરના પ્રેમના અનુભવની આ તીવ્રતા તથા ભાવ અને રસની ઉગ્રતા મીરાંનાં અનેક પદમાં પ્રગટ થાય છે :
ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાંત્યું, એમાં નથી રાખ્યું કંઈ કાચું રે હવે તો બડભાગી કોઈ વિરલાને હાથે ચડિયું બડે ઘર તાલી લાગી રે, મારા મનની ઉણારથ ભાગી રે હાં રે મેં તો તજી છે લોકની શંકા પ્રીતમકા ઘર હૈ બંકા, બાઈ મીરાંએ દીધાં ડંકા ચરણામે મારો જોર છે.” મારે હરિ ભજવાની હામ' વરમાળા ધરી ગિરિધર વરની, છૂટે છેડે ફરીએ રે, વર તો ગિરિધરવરને વરીએ, સુણોને લાજ કોની ધરીએ રે?” લોક અમારી નિંદા કરે રે અમે ધોખો એનો ના ધરીએ રે, વરમાળા વનમાળીની પહેરી, અમે છૂટે છેડે ફરીએ રે “ભૂરાટી થેને હું રે ફરું છું "પ્રેમભઠ્ઠીનો મદ પીને છકી ફરું દિનરાત' ‘હું તો બાવરી ફરું છું મારા મદમાં રે “કોઈ કહે મીરાં ભઈ રે બાવરી કોઈ કહે જોગણ મદમાતી “પ્રભુને ભજીને થઈ છું ન્યાલ’ હરિને ભજીને હું તો થઈ હવે ન્યાલ' હું તો તમને ભજીને ન્યાલ થઈ છું' હવે ન પામું ગર્ભાધાન' અજ્ઞાનની કોટડીમાં ઊંઘ ઘણી આવે, પ્રેમપ્રકાશ માં હું જાગી