________________
૩૫ર ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
મીરાં પર છે. મીરાંની ભક્તિ ભલે કૃષ્ણભક્તિ છે પણ મીરાંનો કૃષ્ણ ઐતિહાસિક કે પૌરાણિક કૃષ્ણ નથી, મહાભારતનો કે ભાગવતનો કૃષ્ણ નથી. માંનો કૃષ્ણ એનો અંગત કૃષ્ણ છે, જે કૃષ્ણને એણે આત્મસાત્ કર્યો છે એ કૃષ્ણ છે. મીરાં સ્વયં ગોપી છે, રાધા છે, કૃષ્ણની પત્ની છે, પ્રિયા છે, સખી છે, દાસી છે. મીરાં કૃષ્ણની સાથે સ્વકીયા, પરકીયારૂપે મિલન, વિરહ, સંભોગ શૃંગાર, વિપ્રલંભ શૃંગાર અને અંતે શાંત રસ અનુભવે છે. મીરાંની ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિ છે. મીરાંની આ પ્રેમભક્તિનો પૈડો ન્યારો' છે. આમ, મીરાંનો પરમેશ્વર પંથમાં નથી, ગ્રંથમાં નથી, અરે, ગોકુલવૃન્દાવનમાં પણ નથી. મીરાંનો પરમેશ્વર તો છે મીરાંના હૃદયમાં. મીરાં એટલે હૃદય, માનવહૃદય, મીરાંનો રહસ્યદર્શી અનુભવ મીરાંનાં અનેક પદમાં પ્રગટ થાય છે :
મીરાંને પૂર્વજન્મની પ્રીત મારી પ્રીત પૂરવની રે શું કરું?” હું તો ગિરિધરને મન ભાવી રે પૂર્વ જનમની હું વ્રજતણી ગોપી, ચૂક થાતાં અહીં આવી રે ‘પૂરવ જનમની પ્રીત હતી ત્યારે હરિએ ઝાલ્યા હાથે ‘સપનામાં પરણી શ્રીગોવિંદને ‘આવતાં ને જાતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી' ‘રામ રમકડું જડિયું.
રુમઝુમ કરતું મારે મંદિર પધાર્યું, નહીં કોઈને હાથે ઘડિયું. ..કોઈ વિરલાને હાથે ચડિયું. મીરાં કે પ્રભુ ગિરિધરનાગર, મારું મન શામળિયાનું જડિયું.” મન મારું રહ્યું ન્યારું.’ મેં તો હૃદમાં ઓળખ્યા રામ' “વહાલો હૃદયકમળમાં વસતા ઘેલાની વાતો ઘેલા જાણે ને દુનિયા શું જાણે?” ઘાયલની ગતિ ઘાયલ જાણે ઘેલો નુગરો શું જાણે એના મનમાં રે? ભેદુ વિના કોને કહીએ? ભેદુડા હોય તો ભેદ પિછાને સંતો અગમનિગમની ખબરો લઈએ’ કોણ જાણે રે બીજો કોણ જાણે? મારા હાલ તો ફકીરી માલમી વિના? કુબુદ્ધિડા કાંઈ નવ જાણે હરિની ભક્તિમાં વહાલા,