________________
ફગુસાહિત્ય જૈન અને જૈનેતર ૨૮૭
‘હરિ હવિ શું કરિ અહીં આવી? નીરસ નારિ અખ્તો થઈ અભાવી, ભ્રમરની પરિ ભલા ભાવ જોયા, નવ રસ નગરની નારિ મોહિયા. ૫૭ ભરૂઆડી અહો ભૂર, ચતુર નગરની નારિ, નાથ ન જાણું રે વસિ કરી, પરિહરી ગિઉ રે મુરારિ. ૫૮ નાથા અનેક નારી તસ્વારિ, પ્રાણજીવન તું એક અહારિ..
ગોવાળો ઉદ્ધવને કૃષ્ણની વિવિધ બાળલીલાનાં સ્થળો બતાવે છે. ઉદ્ધવે હરિ પાસે જઈને આ સર્વ સમાચાર–સંકેત જણાવ્યા. પછી કૃષ્ણ ગોપીઓને કુરુક્ષેત્રમાં મળ્યા અને ત્યાં એમના મનની આશાઓને પૂરી કરી એવા મંગલ સમાપનથી કાવ્ય પૂર્ણ થાય છે.
‘વિરહ દેસાઉરી ફાગુ' – અજ્ઞાતકવિકૃત વિરહ દેસાઉરી ફાગુ' પણ એક વિરલ જૈનેતર ફાગુરચના છે. એનો સમય વિ. સં. નો સોળમો સૈકો લાગે છે. જૈન વિદ્વાન સંશોધક મોહનલાલ દલીચંદ દેસાઈએ કરેલી કોઈ પ્રાચીન હસ્તપ્રતની નકલ ઉપરથી ભોગીલાલ સાંડેસરાએ એમના પ્રાચીન ફાગુ-સંગ્રહમાં અનુપૂર્તિમાં આ ફાગુ પ્રસિદ્ધ કર્યો છે. એની રચના પાટણમાં થયેલી છે, પણ એના કર્તાનો નામોલ્લેખ કૃતિમાં ક્યાંયે મળતો નથી.
‘વસન્તવિલાસની માફક આ ફાગુમાં પહેલાં વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ કર્યું છે, અને પછી કાવ્યના ઉત્તરાર્ધમાં પ્રોષિતભર્તૃકા નાયિકાનું દેશાવરથી પાછા ફરેલા પતિ સાથે મિલન થતાં સંભોગશૃંગારનું નિરૂપણ આવે છે. કાવ્યના નાયક-નાયિકા લૌકિક સ્ત્રીપુરુષ છે, પણ ક્યારેક કવિના મનની પશ્ચાદભૂમિમાં રહેલા સંસ્કારોને કારણે કૃષ્ણગોપીનો ઉલ્લેખ ઝબકી જાય છે.
કાવ્યની શરૂઆતમાં એક અશુદ્ધપ્રાય સંસ્કૃત શ્લોક આવે છે, અને પછી લગભગ છેવટે એક અશ્લીલ શ્લોક આપ્યો છે. વચ્ચે વચ્ચે અક્ષરમેળ વત્તો યોજ્યાં છે, જેની પદ્યરચના શિથિલ છે. નીચે ઉદ્દધૃત કરેલી થોડીક કડીઓ આ રચનાના બલાબલનો ખ્યાલ આપશે :
‘અહે માસ વસંત રુલીઆમણઉં, કામિનીનું મન જાણિ, પૂરિ હરષ ધરિ રહીનઈ બાલાપણ રસ માણિ. ૧૦ કોઇલિ કરઈ ટહૂકડા, બઈઠડી આંબલા ડાલિ, ફાગુણિ ઘરિ પ્રીય મેલ્ટએ, યૌવન પહિલઈ અગાલિ. ૧૧