________________
ફાગુસાહિત્ય: જૈન અને જૈનેતર ૨૯૧
હરિ પાખલ્ય સવિ કામિની, યામિની ગઈ બે વામ: જિમ ચાંદુણી માંહે નિશાકર, તે પરિ દીસે સ્વામ્યઃ ગોલણી યૌવન મદમાતી, ગાતી ગુણ ગોપાલ; વેણનતાને શ્રીરંગ નાચે, રાચે દેવ દયાલ.”
કૃષ્ણ અંતર્ધાન થતાં ગોપીઓ મૂછવશ થાય છે; પણ રાત્રિએ ગોપીઓ કૃષ્ણને પામે છે, અને એમની સાથે વસંતના વિલાસ પેલે છે :
“તે નારી પુણ્યવંતી રે, સતી શિરોમણી જાણ્ય; રાતે રંગશું કામી રે, પાણી સારંગ-પાણ્ય. આજ ઉમાપતિ તૂઠા રે, તૂઠા અમીયે મેહ, આજ કલ્પતરુઅર અમ તણે, આંગણે ઊગિયો જેહ. નિશિ વશિ કીધો નારીએ, મુરારિ સુંદર શ્યામ; એણિ પરિ ક્ષગણ ખેલી રે, પૂરી હૈયાની હામ.”
ભોગીલાલ સાંડેસરાએ સોળમા સૈકાના અજ્ઞાત જૈનેતર કવિઓની બે ત્રણ રચનાઓ એમના પ્રાચીન ફાગુ-સંગ્રહમાં સંગૃહીત કરી છે. એમાં કામીજન-વિશ્રામ તરંગગીતમાં એનું શીર્ષક સૂચવે છે તે પ્રમાણે ફાગુ કરતાં ગીતનાં જ તત્ત્વો પ્રધાન છે, અને “ચુપઈ ફાગુ'માં વસંતશ્રીનું અને વસંતમાં થતી ક્રીડાઓનું વર્ણન છે એ ખરું, પણ એમાં ફાગુ કાવ્યનો ઘાટ નથી અને છેલ્લે બારમાસી'ના કાવ્યસ્વરૂપમાં એની પરિણતિ છે. આ બંને કાવ્યોમાં વર્ણનસમૃદ્ધિ સુંદર હોવા છતાં એમનામાં ફાગુ'નું વિશિષ્ટ સ્વરૂપ છતું થતું નથી, માટે અહીં એની આલોચના કરી નથી. અન્ય બેત્રણ ખંડિત રચનાઓમાં કાવ્યત્વ બહુ જ સામાન્ય પ્રકારનું હોવાથી એમની ચર્ચા પણ અહીં પ્રસ્તુત ગણી નથી.
૪. જૈન ફાગુઓ આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે જૈન કવિઓએ પણ ફાગુસ્વરૂપ પ્રચુરપણે ખેડડ્યું છે, પણ એમાં એમણે સ્વરૂપગત ફેરફારો પ્રકામપણે કર્યા છે. શૃંગારૈકલક્ષી આ મુલાયમ કાવ્યસ્વરૂપને એમણે વૈરાગ્ય અને ઉપશમના નિરૂપણ માટે ઉપયોગમાં લીધું. એથી વસન્તવર્ણન કે નારીસૌન્દર્યનું વર્ણન અપ્રધાન, કવચિત્ કેવળ અછડતું જ રહ્યું, અને કોઈ તીર્થકર કે સૂરીશ્વરની તપશ્ચર્યાનું કામવિજયનું નિરૂપણ એ જ એનું પ્રધાન લક્ષ્ય બન્યું. આમ સાંપ્રદાયિક તત્ત્વ પ્રવિષ્ટ થતાં જૈન ફાગુઓમાં આ