________________
પ્રબન્ધ સાહિત્ય અને પાનાભ ૨૬૧
અને પ્રસંગોનું નિરૂપણ ઉમેરાયું, એથી એ સ્વરૂપ વધારે વ્યાપવાળું, બન્યું. આ રીતે રાસ'માંથી “રાસા'નું સ્વરૂપ ઘડાયું અને એ પ્રબન્ધસાહિત્યની નજીક આવ્યું. અને પછી તો આવી કૃતિઓ “રાસા' કે “પ્રબધાને નામે વહેતી થઈ, અને કવચિત્ એનો ચરિત્ર' તરીકે પણ ઉલ્લેખ શરૂ થયો.
‘રાસા' અને 'પ્રબન્ધના આવા સમાનાર્થક ઉલ્લેખો ઉપરથી શાસ્ત્રીય અનુમાનો તારવવાં વધારે પડતાં પ્રગર્ભ ગણાશે; કારણ કે, વસ્તુતઃ તો “પ્રબન્ધ એક વિશિષ્ટ ચરિત્રાત્મક પ્રાચીન ગુજરાતી કાવ્યસ્વરૂપ છે, જેની વ્યાવૃતિ “રાસા' કરતાં મર્યાદિત છે. એનાં વ્યાવર્તક લક્ષણોની આપણે ઉપર વિગતે ચર્ચા કરી છે. એને કવચિત્ કોઈ હસ્તપ્રતોમાં રાસા' તરીકે ઓળખાવ્યો હોય તો એમાં લહિયાની અનવધાનતા કે લેખનની અચોકસાઈ કારણભૂત ગણવાની છે. એ ઉપરથી કોઈ નિશ્ચિત અનુમાનો તારવવાં એ જોખમભરેલું હશે.
સમગ્ર પ્રબન્ધસાહિત્ય ઉપર દૃષ્ટિ કરતાં પ્રબન્ધનું એક લક્ષણ સ્પષ્ટ કરી આવે છે કે પ્રબન્ધનો નાયક કોઈ સુવિખ્યાત ઐતિહાસિક પુરુષ હોવો આવશ્યક છે. પ્રબન્ધમાં વીરની જીવન-પ્રશસ્તિ કરાઈ હોય તેમ એના પરાક્રમની યશોગાથા ગવાઈ હોય તેથી તેનો મુખ્યરસ વીર હોય છે, જેને યથાસ્થાન અદ્ભુત, રૌદ્ર, વિપ્રલંભશૃંગાર અને કરુણ ઇ. રસો પ્રસંગાનુસાર પુષ્ટિ આપે છે.
પદ્મનાભ અને કાન્હડદે પ્રબંધ
પૂર્ણિમાની સાંજે પૂર્વકાશની ક્ષિતિજમાંથી જેમ અચાનક ચન્દ્રબિંબ ઉપર આવી રહે અને જગતને એના સૌમ્ય પ્રકાશથી ભરી દે, એવી રીતે યુગે યુગે સાહિત્યાકાશમાં કેટલીક અનોખી કૃતિઓ પ્રગટીને પોતાના દીપ્તિમંત સૌન્દર્યથી એને ઝળહળતું કરી મૂકે છે. કવિ પદ્મનાભરચિત “કાન્હડદે પ્રબંધ' આ પ્રકારની એક અનોખી કૃતિ છે.
પ્રાચીન ગુજરાતી સાહિત્યના મુકુટમણિ સમો સુપ્રસિદ્ધ પ્રબન્ધ તે પાનાભરચિત “કાન્હડદે પ્રબંધ' (વિ. સં. ૧૫૧૨). એનો ઉદાત્ત વીરરસભરિત વિષય, એનો વેગવંત ધસતો કથાપ્રવાહ, એનું સુરેખ જોશીનું પાત્રનિરૂપણ, એનું વસ્તુસંકલનાકૌશલ, એની અનુપમ રસનિષ્પત્તિ, અને મનોહારિણી દીપ્તિમંત શૈલી