________________
ભાલણ ૨૩૫
‘કર જોડીને કહે આનંદે ભાલણસુત ઓધવદાસ." અને વિષ્ણુદાસના ‘રામાયણ ઉત્તરકાંડમાં :
ઉત્તરકાંડ સંપૂર્ણ સુણતાં ઉપજે મન ઉલ્લાસ, કર જોડીભાલણસુત વિનવે નિજ સેવક વિષ્ણુદાસ," અને ખુદ ભાલણ પણ “મામકી આખ્યાનને અંતે કહે છે કે ભાલણની વાણી સાંભળી વિષ્ણુદાસ પૂછે છે વળી."
આ ત્રીજા પ્રમાણને લક્ષમાં ન લઈએ તોયે પ્રથમનાં બે અવતરણોથી ઉદ્ધવ અને વિષ્ણુદાસ ભાલણના પુત્રો સમજાય છે : ત્રીજો ચતુર્ભુજ હતો એમ કહેવાયું છે, પણ એને માટે કોઈ પ્રમાણ મળ્યું નથી. ભાલણસુત વિષ્ણુદાસ ૧૭મી સદીના પૂર્વાર્ધના ખંભાતના મકરકુલના નાગર બ્રાહ્મણ વિષ્ણુદાસથી પૂર્વનો છે.
ભાલણસુત વિષ્ણુદાસના રામાયણ-ઉત્તરકાંડના છેલ્લાં બે જ કડવાં મળ્યાં છે અને એમાં એનું રચ્યા-વર્ષ વગેરે, “સં.૧૫૭૫ના કાર્તિક સુદિ ૫ બુધવાર કહેલ છે. પરંતુ રામલાલ ચુ. મોદીએ ગણિતથી સં.૧૫૧૫- પનરોતરો હોવાની સંભાવના કરી છે એ સંભવિત છે ૫૧ ભાલણની ઉત્તરાવસ્થામાં ખીલતા આવતા વિષ્ણુદાસે સં.૧૫૭૫-ઈ.સ.૧૫૧૮ માં રચના કરી અશક્ય ન કહી શકાય. આમ વિષ્ણુદાસનું આ વર્ષ ભાલણના સમયના નિશ્ચયમાં સહાયક થઈ પડે એમ છે.
એ નોંધપાત્ર છે કે ભાલણે પેટને માટે નહિ, પરંતુ કુટુંબના આનંદ ખાતર સાહિત્યસેવા કરી હતી, જેમ કે,
‘રૂકમિણીને વિવાહે સંતોખાણો નહિ પરિવાર, તે માટે વિવાહ વિસ્તાર સત્યભામાનો ભાખું.પર
કડવાં અને કડીઓની સંખ્યા અને ફલશ્રુતિ કડવાબંધનાં આખ્યાનોમાં કડવાંઓની અને કડીઓની સંખ્યા આપવાનો આરંભ પણ ભાલણથી જાણવામાં આવ્યો છે. બેશક, એનાં બધાં જ આખ્યાનોમાં આમ નથી થયું; “ધ્રુવાખ્યાન'માં માત્ર મળે છે. ત્યાં લશ્રુતિ' પણ કહી છે, જેવી તો બીજાં આખ્યાનોને અંતે પણ છે.*
ભાલણની ગુજર ભાખા આચાર્ય હેમચંદ્રના સમયમાં વ્યાકરણસ્થ થયેલી અપ્રભ્રંશ ભાષા મારે મતે ‘ગૌર્જર અપભ્રંશ' લોકમાં અર્વાચીન ભાષાની આદ્ય ભૂમિકાની લાક્ષણિકતા નાખી રહી હતી