________________
૨૩૬ - ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
અને ઉત્તર ગૌર્જર અપભ્રંશ'ના રૂપમાં પરિણત થયે જતી હતી. પંદરમી સદીના આરંભની આસપાસ ગુજરાત-સૌરાષ્ટ્ર-પશ્ચિમ રાજસ્થાનમાં અર્વાચીન ભાષાનાં બીજ સંપૂર્ણપણે નખાઈ ગયાં હતાં. આ ભૂભાગના સાહિત્યકારો રચનાઓ કર્યે જતા હતા, જેમાં જૈનેતર સાહિત્યકારોમાં નરસિંહ મહેતા, વીરસિંહ, કર્મણ મંત્રી, ભીમ, જનાર્દન, માંડણ બંધા૨ો, શ્રીધર અડાલજો મોઢ વગેરે પોતપોતાને અનુકૂળ સાહિત્યપ્રકાર ખેડતા આવતા હતા. આ નવી વિકસી આવેલી ભૂમિકાની કોઈ સંજ્ઞા હજી સાહિત્યગ્રંથોમાં સૂચિત થઈ પકડાઈ નથી. નરસિંહ મહેતાના નામે ચડેલા ‘સુરતસંગ્રામ’માં ‘અપભ્રષ્ટ ગિરા વિશે કાવ્ય કેવું દિસે, ગાય હીસે ને જ્યમ તીર લાગે’૫૫ એ ‘અપભ્રષ્ટ ગિરા’ કહેવડાવવાનો પ્રયત્ન છે, પરંતુ એ રચના તો ૧૯મી સદીની છેલ્લી પચીસીની લાગી છે. ૫૬ ‘કાન્હડદે પ્રબંધ' (વિ.સં.૧૫૧૨-ઈ.સ.૧૪૫૬)માં પદ્મનાભ ‘પ્રાકૃતબંધ કવિતમતિ કરી’૫૭ એમ પોતાની ભાષાને ‘પ્રાકૃત' કહે છે તે ‘સંસ્કૃતથી’ જુદી પાડવા. આ સમયની સંજ્ઞા આપનારો તો અત્યાર સુધીમાં ભાલણ જ પહેલો જાણવામાં આવ્યો છે :
‘ગુરુપદપંકજને પ્રણમું, બ્રહ્મસુતાને ધ્યાઊં,
ગુજર ભાષાએ નલરાના ગુણ મનોહર ગાઊં.૧૫૮
એણે દશમસ્કંધમાં ગુર્જર ભાખા' કહેલ છે; તો કાદંબરીમાં પણ ‘કિહિ ભાલણ બુદ્ધિમાનિ કરી ગુજ્જર ભાખાઈ વિસ્તરી.’1॰ એમ ‘ગુજ્જર ભાખા' કહી છે. અન્યત્ર એણે માત્ર ભાખા' શબ્દ જ પ્રયોજ્યો છે; જેમકે તેહની પ્રિછવા કારણિ કીધો ભાણિ ભાખાબંધ’ ૬૧ ‘ભાખાઈ કીધું આખ્યાન'. કાદંબરીપૂર્વ ભાગની પુષ્ટિકામાં ‘ગુર્જર ભાષા-કવિત્તબંધ' અને ઉત્તર ભાગની પુષ્પિકામાં પ્રાકૃત ભાષા’ એવા શબ્દ મળે છે તેને લક્ષ્યમાં ન પણ લઈએ, પરંતુ કાવ્યાંતર્ગત શબ્દો તો સ્પષ્ટ જ છે. ‘નલાખ્યાન'માં એ પોતાની આ ગુજર ભાખા'ને ‘કથામાત્ર એ નૈષધરાની અપભ્રંશ ઐ દાખી’૨ એમ ‘અપભ્રંશ’ પણ કહે છે એ ‘પ્રાકૃત'ની જેમ એક પ્રકાર કહેવાના આશયથી જ.
ભાલણની સાહિત્યસેવા
ભાલણની પ્રાપ્ય કૃતિઓનો અભ્યાસ કરતાં એની શક્તિની દૃષ્ટિએ ત્રણ કક્ષાની કૃતિઓ જોવા મળે છે :
સામાન્ય : (૧) શિવભીલડી સંવાદ, (૨) જાલંધર આખ્યાન, (૩) દુર્વાસા આખ્યાન, (૪) મામકી આખ્યાન, (પ) દ્રૌપદી-વસ્ત્રાહરણ-તૂટક