________________
૨૪૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧
ગીતગોવિંદ'નું કેટલેક અંશે અનુકરણ થતું જોવા મળે છે. પરંતુ ખૂબ જ મર્યાદિત સ્વરૂપમાં, જૂની પ્રણાલીની ઘરેડમાં, જેમાં કવચિત્ ચમત્કાર પણ લાવી આપે છે :
કૌસ્તુભમાં નિજ રૂપ દેખી રીસાવી પ્યારી; જાણું ખોળામાં બેઠી છે, મુજ સરખી કો નારી. દેખી. ૧ દૂતીને ત્યાં ગાળ દે છે, તું તો ધૂતારી; મને શાને તેડી આવી, એ તો વ્યભિચારી. દેખી૨ મધ્ય નાયિકા સાન કરીને, બુદ્ધિ કહી સારી; કંઠ થકી કેશવજી મેલો, મહામણિ ઉતારી. દેખી) ૩ રાધાએ ત્યાં નારી ન દીઠી, દીઠા કંસારિ; ભાલણ-પ્રભુ રાઘવ-શું વાધી પ્રીત અતિ ભારી. દેખી ૦ ૪૮૮
મને એમ લાગ્યું છે કે અષ્ટછાપના પહેલા ચાર કવિઓની કવિતાપ્રણાલીની છાયામાં ભાલણ આવ્યો છે અને એના “વત્સલ” અને “ભક્તિનાં પદોના ધ્રવાહમાં આગળ જતાં દાણ-માન વગેરેનાં પદ પણ નિરૂપાયાં છે. આ એની મોટી ઉંમરે પહોંચ્યા પછીની રચનાઓ કહી શકાય કે જ્યારે એ શ્રીકૃષ્ણ અને શ્રીરામને એકાત્મક રીતે જોતો અનુભવતો થઈ ચૂક્યો હતો. આ એના માહાસ્યજ્ઞાનની ભક્તિની મર્યાદા છે. નરસિંહ મહેતા અને ભાલણ વચ્ચે જે ભેદ છે તે એ કે નરસિંહ પ્રથમ કવિ છે અને પછી ભક્ત છે, ભાલણ પ્રથમ ભક્ત છે અને પછી કવિ છે; નરસિંહમાં કવિત્વ સહજ છે, ભાલણમાં કવિત્વ આગંતુક છે. આ કારણે એ નરસિંહ મહેતાની કવિપ્રતિભાને આંબી શકતો નથી, આ કારણે જ ગુજરાતના પ્રથમ કક્ષાના મધ્યકાલીન કવિઓ–નરસિંહ, પ્રેમાનંદ અને દયારામની હરોળમાં ન આવતાં ભાલણ કવિઓની બીજી હરોળમાં માનવંતું સ્થાન પામી રહે છે.
સંદર્ભનોંધ :
૧. ૨. ૩. ૪. ૫. ૬.
પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહ, પૃ.૧ વગેરે નળાખ્યાન (ભાલણ), ૧-૧, પૃ.૧ એ. જ. ૩૩પ, પૃ.૭૩ કાદંબરી (ભાલણ) : પૂર્વ ભાગ. ૨૩-૧૯૫ એ જ, પૃ.૧૭૮ કાદંબરી (ભાલણ) : ઉત્તર ભાગ. ૨૮-૫.