________________
ભાલણ ૨૪૫
ખાતે ધાવે ખેલણી વળી પડી રહે મૂકે; એવા રમતા રામનામ ધ્યાન સાંખ ન મૂકે. એવા. ૪ અદપડિયાળી આંખડી મીંચે ને ઉઘાડે; બાળકને બહાર કાઢી મૈયા પ્રભુને પોઢાડે. એવા ૫ ઝડપ નાંખે ઝરમર ને વળી પાય વતી તોડે; ભાલણ–પ્રભુ રઘુનાથ મારો ભવબંધન છોડે. એવા ૬ ૯
કવિ ભક્ત છે અને તેથી જ આમાં ભગવાન રામનું માહાત્મજ્ઞાન સ્પષ્ટ ઊપસી આવે છે; સળંગ કથાનો એ કોઈ ભાગ બનતું નથી.
દશમસ્કંધમાં ચાલુ ભાગવતી કથામાં આમેજ કરી લેવામાં આવેલાં પદ તદ્દન સ્વતંત્ર છે. જૂની હાથપ્રતોમાં સ્વતંત્ર સંગ્રહ પણ જોવા મળ્યો છે. રામબાલલીલાનાં પદોની સંખ્યા વધુ મોટી છે. આ પદો બધાં જ ભાલણની ઉત્તરાવસ્થાનાં ન પણ હોય, કારણ કે ઉત્તરાવસ્થામાં એ ચુસ્ત રામભક્ત જ હતો, એટલો આરૂઢ કે ભગવાન કૃષ્ણની લીલા ગાતાં પણ “એ સીતાપતિ રામ જ છે રામ જ છે' એવી ભાવનાથી એણે ગાન કર્યું છે. આમ છતાં પ્રૌઢિ કૃષ્ણબાળલીલાનાં પદોમાં સવિશેષ જોવા મળે છે. માતા જશોદાનું માતૃહૃદય બાલકષ્ણમાં કેવું હતું એનો પરિચય સબળ રીતે આવાં પદોમાં સુલભ છે. કવિની ચિત્રણા માતાની સાથે તદાકાર વૃત્તિ સાધી “આ માતા અને આ કવિ' એવો ભેદ પડવા દેતી નથી. નીચેની ગરબી' પ્રકારની પંક્તિઓ જુઓ :
બાઈ, જાઓ મંદિર સહુકો આપણે રે, સોડ ભલાઈ ફોકટ લેતાં આજ હો; ઓલંભા દાહાડી એના લાવતાં રે, સાંભળીને મુજને થાતી લાજ હો. જાઓ. ૧ કુંવર તો વણસે માહારો રે.. તમારું કાંઈ આવે ને જાય હો; માખણનો ચોર સહુ એને કહે રે, એમ તો મારો મહિમા ઓછો થાય હો. જાઓ. ૨ નવલક્ષ ઘેર ધેનુ માહરે રે. આલીગારો કરતો હીંડે આળ હો;