________________
આદિશક્તિયુગના કવિઓ ર૨૩
છે. એ મહાભારતની મૂળ કથામાં નથી તેવા ચમત્કાર પરંપરાથી જાણવામાં આવ્યા છે તે ઉમેરી કથાને મલાવે છે; જેવા કે અહિલોચનનો જીવ સુભદ્રાના ઉદરમાં પ્રવેશે છે, ગર્ભમાંના અભિમન્યુને ઉદ્દેશી શ્રીકૃષ્ણ ચક્રવ્યુહની કથા કહે ને ગર્ભ હુંકારો આપે, મંછાપૂતળી ઊડીને કૃષ્ણને મારી નાખવાના અહિલોચનના ઈરાદાની જાણ કરે, અભિમન્યુના લગ્નની કંકોત્રી બાણથી સ્વર્ગ અને પાતાળમાં મોકલવામાં આવે, અભિમન્યુની જાન માટેનાં પકવાન ભીમ ખાઈ જતાં કૃષ્ણની કૃપાથી વાસણો ભરાઈ જાય, લગ્ન વખતે ઉત્તર અભિમન્યુની આંખો ઉત્તરાને પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવે, રણક્ષેત્રમાં ઉંદરનું સ્વરૂપ લઈ કૃષ્ણ અભિમન્યુના ધનુષની દોરી કાતરી ખાય, મૃત્યુ પછી અભિમન્યુ સ્વર્ગમાં અર્જુન સાથે વાત કરે, વગેરે ગણાવી શકાય. આમાં મધ્યકાલીન લોકમાનસની છાપ જોઈ શકાય છે ૭ જાનની સજાવટ, વિદાય, લગ્નસમારંભ ને ભોજનસામગ્રીની તૈયારી વગેરે પાછળ તત્કાલીન સમાજચિત્ર વરતાય છે; એટલા પૂરતી કવિની સફળતા છે. દેહલની આ કૃતિ પછીથી વિકસેલાં “અભિમન્યુ આખ્યાનો'ને ઠીક ઠીક ઉપયોગમાં આવે છે, એ રીતે પણ એ ધ્યાન ખેંચે છે.
સંદર્ભનોંધ ૧ .બુ. જાની, હરિલીલાષોડશકલા (ઈ.૧૯૨૮) ૨ કે. કા. શાસ્ત્રી, પ્રબોધપ્રકાશ ભીમ-કૃત) (૧૯૬૩) ૩ હલી ષો.કલા, પૃ. ૨૧૩ ૪ પ્રબોધપ્રકાશ પૃ. ૩૪ ૫ એ જ. પૃ. ૧ ૬ એ જ, પૃ. ૭૫ ૭ હ.લી.ષા.કલા, પૃ ૧૪ ૮ કૌમુદી માસિક), ૧૯૨૧), પૃ. ૨૨૨-૨૩ ૯ હરિલીલાષોડશકલા પૂ. ૨૧૨ ૧૦ એ જ ૧૪ ૧૧ એ જ, ૧૭૯ ૧૨ એ જ, ૨-૪૧૧૨-૨૨લ ૯૬-૯૭૧ ૧૧૩લ ૧૨૧ વગેરે ૧૩ એ જ ૫ વગેરે