________________
૨૩૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
૨૩
શ્રીનાથજીના મંદિરમાં દર્શનાર્થે જતા હતા, જ્યાં કુંભનદાસને કીર્તનની સેવા સોંપી હતી. સૂરદાસ પરમાનંદદાસ અને પછી શ્રીનાથજીના મંદિરના અધિકારી સ્થાને રહેલા ગુજરાતી કૃષ્ણદાસ પટેલની કીર્તનોની સેવા પણ ચાલુ રહી હતી. ભાલણ આવી પોતાની કોઈ યાત્રામાં વ્રપ્રદેશમાં ગયો હતો કે નહિ એ વિશે જાણવામાં આવ્યું નથી, પરંતુ વ્રજભાષામાં શ્રીકૃષ્ણની લીલાનાં ગવાતાં પદ એના સાંભળવામાં આવ્યાં હશે એમ એણે રચેલાં વ્રજભાષાનાં સ્વતંત્ર પ્રાચીન પાંચ પદોથી સરળતાથી કહી શકાય એમ છે. વિશેષમાં કૃષ્ણદાસ પટેલનાં ગાવામાં અઘરાં પડે તેવાં લાંબા બંધનાં પદોનો પ્રકાર પણ ભાલણે ગુજરાતી પદોમાં બંધ જોવા મળતો નથી. પોતાની પદરચનામાં આમ ભાલણ નરસિંહ મહેતા અને મીરાંથી આગળ વધેલો છે. ભાલણ શાસ્ત્રીય રાગોનો પણ જાણકા૨ હોવાનું એનાં ચારસોથી વધુ જાણવામાં આવેલાં પદોથી સમજાય છે. વ્રજભાષાની એની પદરચના ઉપરાંત નટનારાયણ’ જેવા અઘરા રાગનાં લાંબાં બંધના પદપ એને અષ્ટછાપના પહેલા ચાર ભક્તકવિઓનો ઉત્તરકાલીન સમકાલીન નહિ, તો સમકાલીન તો કહી જ જાય છે.
૨૬
(૨) એનાં વ્રજભાષાનાં પાંચ કે છ જેટલાં સ્વલ્પ જ, પરંતુ ગુજરાતી ભાષામાં શ્રીકૃષ્ણલીલાનાં અને રામબાલલીલાનાં મળી ચારસોથી પણ વધુ સંખ્યાનાં પદોમાં ‘ધ્રુવપદ’ની પહેલી કડીનાં દર્શન થતાં નથી, પરંતુ એના દશમસ્કંધમાં પદ-મથાળે નિરૂપણાત્મક ભાગમાં ‘કડવાં’નો બંધ સમાદ્દત કર્યો છે તેમાં અને નલાખ્યાન વગેરે સંખ્યાબંધ આખ્યાનોમાં આપેલાં ચોખ્ખાં કડવાંઓમાં, સામાન્ય રીતે બહુ લાંબા નહિ એવા એકમનાંમાં, સામાન્ય રીતે ‘ઢાળ'ની પહેલાં ધ્રુવ કડી' આપવાનો આરંભ કર્યો છે, એ પ્રકારનો પુરસ્કારક તો પ્રાચીન સાહિત્યની પ્રાપ્ય સામગ્રી જોતાં, ભાલણ જ છે. ગીત-ગોવિંદમાં ધ્રુવકડી” મોટે ભાગે એના પછીના બંધ'ના ઢાળની કે માપની મળે છે, જ્યારે ભાલણની ધ્રુવ કડી'માં તારતમ્ય પણ જોવા મળે છે. આ પ્રકાર નરસિંહ મહેતાની ચાતુરી'ઓમાંના પ્રકારથી અને શ્રીધર અડાલજાએ રચેલા ‘ગૌરીચરિત્ર’ (ઈ.સ.૧૫૦૯)માંના પ્રકારથી જુદો તરી આવે છે. ભાલણ પોતાના પ્રકા૨નો આ અભિનવ ‘કડવા-બંધ' વિકસાવે છે; બેશક, એ હજી કડવાને અંતે ‘ઊથલો' કે ‘વલણ' પ્રકારની સમાપન-કડીનો આરંભ કરતો નથી, જે એના ઉત્તરસમકાલીન, વડોદરાના, નાકરનાં મહાભારતનાં આખ્યાનોમાં જોવા મળે છે.૨૭ એ ખરું કે નરસિંહ મહેતાની ‘ચાતુરી'ઓમાં નાના નાના ખંડ પાડતા બંધમાં એકથી વધુ વાર ‘ઊથલા’ (અને ‘વલણ’) નાં દર્શન થાય છે, જેની સાથે નાકરે સામદત કરેલા ‘ઊથલા’ કિંવા ‘વલણ’) નો સંબંધ જોવા મળતો નથી.
૨૮
આમ વ્રજભાષા અને કડવા બંધ–એ બે કારણોથી ભાલણનો કાવ્યકાલ