________________
૨૩૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
આમ ‘કાદંબરી' જેવી સર્વથા કાલ્પનિક કોટિની લૌકિક કથા'ને પણ ‘આખ્યાન’ અને સંસ્કૃત રૂઢ શબ્દ ‘ઉપાખ્યાન’ કહેવામાં એણે સંકોચ નથી સેવ્યો એમ કહી શકાય, પરંતુ ‘આખ્યાન'ની આ વ્યાપકતા એની સાથે જ પૂર્ણ થાય છે અને એના અનુગામીઓ ‘લૌકિક કથાઓ'ને ‘આખ્યાન’ કહેતા જોવામાં આવ્યા નથી. હા, ભાલણે કવચિત્ આખ્યાનપ્રકારની રચનાને ‘રાસ’ કહેલ છે; જેમ કે દશમસ્કંધમાં ‘રુમિણી વિવાહ'ને અંતેઃ
ગાન કરે જે પ્રેમશું એ કૃષ્ણવિહિવા-રાસ, સુખ પામી સંસારનાં ને અંતે વૈકુંઠવાસ.
તો એ જ રીતે એના અનુગામીઓમાંના નાક૨ અને એના પછીના વિષ્ણુદાસે એ પ્રકારની રચનાઓને રાસ' કહેલ પણ છે; જેમકે
રામકૃપાએ કીધો રાસ, કહિ નાકર હિરનો દાસ.
રામકૃપાએ કીધો રાસ, કર જોડીને કહે વિષ્ણુદાસ.’૧૦
જૈન સાહિત્યકારોએ પૌરાણિક કોટિનાં ધાર્મિક કથાનકોને માટે ‘રાસ' સંજ્ઞા વ્યાપક કરી હતી તેનું જ ભાલણ-નાકર-વિષ્ણુદાસમાં આ અનુસંધાન જણાય છે; રચનાઓ પૌરાણિક આખ્યાનોની જ છે.
ભાલણનો સમય
ગુજરાતી ભાષાનો ઇતિહાસ' (ઈ.સ.૧Č૬૬) પ્રસિદ્ધ કરતાં વ્રજલાલ કા. શાસ્ત્રીએ ‘કાદંબરી–દશમસ્કંધ’માંથી અવતરણ લીધાં, પણ ભાલણના સમયના વિષયમાં કશું લખેલું નહિ. કવિ નર્મદે ‘નર્મકોશ'ની ‘ગુજરાતી ભાષા' વાળી પ્રસ્તાવના (ઈ.સ. ૧૮૭૨)માં ભાલણ ઈ.સ. ના૧૭ મા સૈકામાં થયાનો નિર્દેશ કર્યો.૧૧ હરિ હર્ષદ ધ્રુવે ભાલણની પ્રસિદ્ધ રચનાઓ વિશે કહેતાં સૂચવ્યું કે . તેને વિ.સં. ૧૬૧૬ પહેલાં મૂકવો પડશે; જોકે તેને કવિ નરસિંહ મહેતાના અને તેના સમકાલીન ‘હિરલીલા'વાળા ભીમ કવિ અને કાન્હડદે-પ્રબંધ’-વાળા પદ્મનાભ જેટલો તો આગળ નહિ મુકાય, પણ તે તેમના સમયથી બહુ અર્વાચીન નહિ કરાય’૧૨ આ પછી ઈ.સ.૧૮૮૭માં પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક'માં ‘સપ્તશતી’ આપતાં, નારાયણ ભારતીએ ભાલણનું જીવનચિરત બાંધતાં એને સં. ૧૪૬૧ (ઈ.સ.૧૪૦૫) થી હોવાનો અભિપ્રાય આપ્યો.૧૩ જ્યારે ‘પ્રાચીન કાવ્યમાળા'માં હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળાએ એક નળાખ્યાન છાપ્યું ત્યારે એમાં પંદરસેં પીસતાલીસ માંહિ ગયા નળગુણગ્રામ જી' એમ સં.૧૫૪૫ (ઈ.સ.૧૪૮૯)નું વર્ષ મળતાં નરસિંહ મહેતાના કંઈક ઉત્તર