________________
ભાલણ ૨૨૯
(ઈ.સ. ૧૫૦૯), આ પ્રકારની રચનાઓ રચી આપી હતી. આ રચનાઓમાં સળંગ બંધની રચનાઓ પણ છે અને ખંડ પાડીને પણ થયેલી રચનાઓ છે. જનાર્દનનું ‘ઉષાહરણ” નરસિંહ મહેતાની પદ્ધતિના પ્રકારનાં, કેટલાક વૈવિધ્ય સાથે, પદોમાં રચાયેલું છે, તો શ્રીધર અડાલજાએ નરસિંહ મહેતાની “ચાતુરીઓમાં પ્રયોજાયેલા એક ઢાળને પકડી રચના સાધી આપી છે. ભાલણે તો ‘શિવભીલડીસંવાદ સળંગ બંધમાં જ રચી આપ્યો છે, પરંતુ એણે આખ્યાન પ્રકારનો વિકાસ સાધી આપવાની સાથોસાથ “કડવાબંધનો પુરસ્કાર કર્યો. એ ખરું છે કે “કડવાબંધ'ના વાહન તરીકે સ્વીકારેલી દેશીઓ નવી નથી, છેક “ભરતેશ્વર-બાહુબલિરાસ' (ઈ.સ.૧૧૮૫)થી લઈ રાસયુગના અનેક રાસોમાં અને છેક નરસિંહ મહેતા અને જનાર્દનનાં પદોમાં પ્રયોજાયેલી દેશીઓની પરંપરામાં બેસી જાય તેવી છે, પરંતુ એણે જે વ્યવસ્થા વ્યાપક કરી તે કડવા-પદ્ધતિની. હા, “કડવકનો પ્રકાર નવો નથી; અપભ્રંશ ભાષાનાં પ્રાચીન સંધિકાવ્યોમાં “કડવકનો એકમ હતો, અને રેવંતગિરિરાસ' જેવી કૃતિમાં બીજા રાસોની “ભાસ-ઠવણી” જેવા એકમને બદલે “કડવક' એકમ કહેવામાં આવેલો પણ છે, પરંતુ ભાલણે તો ‘કડવાનો એકમ લઈ, એમાં ભિન્ન ભિન્ન દેશીઓનો પ્રયોગ કરી, વસ્તુ તરીકે મહાભારત-રામાયણ અને અન્ય પુરાણોમાંથી કથાનકો પસંદ કરી લોકો સમક્ષ ગાઈ શકાય એ રીતનો કાવ્યબંધ સાધી આપ્યો. એણે વસ્તુ તરીકે લીધેલાં ‘ઉપાખ્યાનો'માંના ‘ઉપ” ઉપસર્ગને જતો કરી ‘આખ્યાન' સંજ્ઞાનો સમાદર કર્યો, જેમકે
‘તાલમય સકલ અર્થ પદબંધ બાંધું નલ-આખ્યાન યુધિષ્ઠિર આનંદ પામ્ય સાંભળી આખ્યાન
મહાભારત-આરણ્યક પર્વમાંના ‘નલોપાખ્યાન'ને જ પહેલા અવતરણમાં “નલઆખ્યાન' કહે છે અને ‘ઉપાખ્યાન' એવી ચાલુ સંજ્ઞાનો ત્યાગ કરી બીજા અવતરણમાં આખ્યાન' કહે છે.
પરંતુ પૌરાણિક ઉપાખ્યાનો જ એનાં મુખ્યાનોનો વિષય હતાં એવું એના માનસમાં હજી સ્પષ્ટ થયું નહિ હોય, કારણ કે એણે “કાદંબરી'ના સારાનુવાદને પણ ભાખાઈ કીધું આખ્યાન કહ્યું છે. બેશક, એની પુષ્પિકા એની જ લખેલી હોય તો, ત્યાં પૂર્વ ભાગને અંતે 'ગ્નમાષ વિતવધ કહે છે," તો ઉત્તર ભાગના આરંભમાં બાણે કાદંબરી' અધૂરી રાખેલી એ બતાવવા પિતા સ્વર્ગ પામ્યુ નિ અધવચિ ઉત્તમ રહ્યું આખ્યાન'' એમ કહીને પણ પુષ્પિકામાં ૩પારીને ત્રવાડી માનકૃત સંબૂ એમ કહ્યું છે.