________________
આદિભક્તિયુગના કવિઓ ૨૧૧
પ્રદેશની બોલી ગુજરાતીને મળતી છે. સ્વરાજ્ય મળ્યા પછી રાજ્યોના પુનર્ઘટન સમયે આબુ અને શિરોહીનો પ્રદેશ થોડાં વર્ષ ઉપર રાજસ્થાનને સોંપાયો તે પૂર્વે ગુજરાતનો જ ભાગ હતો.
આ કવિની પ્રબોધબત્રીસી' મુદ્રિત કૃતિ ઉપરાંત “રામાયણ’ “રુકમાંગદ કથા' અને પાંડવવિષ્ટિ એ ત્રણે અપ્રસિદ્ધ કૃતિ પણ જાણવામાં આવી છે. “હનુમંતાખ્યાન' રામાયણના જ પ્રથમના ૩૦ ખંડોમાં આવી જાય છે.
પ્રબોધબત્રીસી' એ ૨૨૦ ષટ્રપદી ચોપાઈની ૩૨ વીશીઓમાં રચાયેલું જ્ઞાનમૂલક કાવ્ય છે. અખાના છપ્પાઓના સંગ્રહમાંનાં ભિન્ન ભિન્ન અંગોમાં સમાજના ચિત્રને ઉપસાવતી સાચી સમજદારીની શિખામણમૂલક જ્ઞાનગોષ્ઠી મળે છે તેવી જ આ જ્ઞાનગોષ્ઠી છે. આ પદ્ધતિની કવિતા માંડણ અને અખા સિવાય બીજા કોઈ સાહિત્યકાર પાસેથી મળી જાણી નથી. અને અખાએ પણ માંડણનું જ અનુકરણ કર્યું છે, કેટલુંક લીધું પણ છે. નરહરિએ આ પ્રકારે વિષય-નિરૂપણ કર્યું છે, પરંતુ એ “ગીતાઓના રૂપમાં. માંડણનો સમાજનો અભ્યાસ ઉચ્ચ કોટિનો કહી શકાય. એણે પ્રબોધબત્રીસીમાં ૪૦૦ થી ૫૦૦ જેટલી કહેવતો વણી લઈ પોતાની વાણીને માર્મિકતાથી સમૃદ્ધ કરી છે. એની પ્રત્યેક વીશી ઊંડા બોધ અને તત્ત્વજ્ઞાનથી ભરેલી છે. અખાને જે જાતનો ગુરુને માટે અનુભવ બંધાયો હતો તેનાં મૂળ માંડણમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એની પાંખડ ઉપરની ટકોર :
પાખંડી ગુરુ માથઈ કર્યા, વાયી વેદ ઉવટિ સાંચર્યો. ધર્મ તણી હોણિ નવિ સર્યું : ઉપરિ અતિ ધન વાવવું : મિથ્યાલાપિ હૌઆ સંયમી, ભઈસિ કેડિ પાડી નીગમી.' ૮૧ પાખંડી પૂજા આદરી બાઈઠ મુરત પાખલિ ફિરી. કહિ કલયુગનુ જોઉ પાર, એહવા ભક્ત ગુરુ તેહ વાર. નારિ સતી પુરુષ તિમ સતુ, ગાધિ ગૂણિ કલશીનુ પિતુ. ૮૨."
આ જ પ્રસંગે એણે માર્મિક કહેવતોનો ખડકલો કરી વચનમાં ચોટ લાવવાનો પ્રયત્ન પણ કર્યો છે :
ઘોડઈ ચડ્યા કોઈ નવિ કલઈ, ચડિ ગાધિ સહુ જોવા મિલઈ.” જુ બાંઠા નવિ નિરખઈ કોઈ, તુ ઉભા દીઠઈ શું હોઈ૮૩ મીચઈ આંખ, ન મીચઈ હૈઆ, ન ચલઈ કાછ, ચાલઈ ધોતીઆં'. લાઈ ભૂતી વિભૂતી ન લઈ, તને સાંકલી નઈ મન સાંથલઈ.”