________________
આદિભક્તિયુગના કવિઓ ૨૦૯
દેખાતો અને સાથે પોતાના સમયમાં પ્રચલિત એવો ક્રમ સારા સ્વરૂપમાં ચીતર્યો છેઃ કેટલાક સામાજિક વિધિ પણ આપ્યા છે. આપણને ‘કાન્હડદે–પ્રબંધ'માં મળે છે તેવાં નગર ગઢ સેના યુદ્ધ વગેરેનાં પણ આકર્ષક વર્ણન આ કાવ્યમાં જોવા મળે છે. મુખ્યત્વે એણે “દુહા” અને “ચુપઈનો બંધ પસંદ કર્યો છે, આમ છતાં ભુજંગપ્રયાત વસ્તુ ગાથા પદ્ધડી સારસી એ છંદોનો પણ ઉપયોગ કરી લીધો છેઃ ચોપાઈ દાવટીનો બંધ પણ જોવા મળે છે. ખાસ ધ્યાન ખેંચે છે તે જુદા જુદા ઢાળમાં આપેલી દેશીઓનાં ગીત છે. એવું એક ગીત ઉપરનું કેદારુ રાગનું જોયું; એ ચોપાઈ દાવટી–બંધમાં છે. સૌથી પહેલું ૮૨ મી લીટી પછી દોહાબંધનું આવે છે :
ધવલ ધન્યાસી સીસિઈ શંકર તુહ નમિ રે, નમિઅ નહી દિનરાત,. લેખું લાગૂ નાલિયરે, પડિ અતિ ફણાગર પત્તિ, સાંભલિ શિવ દેવા, બાણાસુર બોલિ, દેવ નહી તહ્મ તોલિ. સાંભલિ.૫૪
ચાલુ દુહા-બંધ ઉપર કેટલેક ઠેકાણે રાગનાં નામ લખવામાં આવ્યાં છે. સંભવ છે કે કવિ તરફથી ભિન્ન ભિન્ન રાગોમાં તે તે પંક્તિઓ ગાવાની હશે એ દૃષ્ટિએ એ મૂકવામાં આવ્યા હોય.
વીરસિંહે કાન્હડદે–પ્રબંધ' જોયો લાગે છે, કારણ કે કેટલાંક વર્ણનોમાં સામ્ય અનુભવાય છે. વીરસિંહ આગળ વધી એમાં વૈવિધ્ય પણ સાધે છે :
ધુલ ચગ દેશાઓ ઇમ બોલઈ રષિમિણિ જોડી બે હાથ એ નાથ ન ચેતુ એ અહ્મણોઈ, દૂરિ દાવાનલ દેખું એ દેવ એ, ૭૬૦ જલતું એ પાઇતલિ પેખું નહી એ. પેખું નહી પર ન્યાતિ સખિ પડ્યા, ઘર અનુધ્યાન, સુણિ વનતિ અખ્ત દેવ તું બ્રહ્મમંડણ દેવ એ : તું સૃષ્ટિ સવિ આધાર, જાનન જણ આસાર. પહિરિયાં પીલાં ચીર, નવિ લાજ આણિ આહીર. સખિ સમુક યાદવ, પછી સુત સાહું લાસ, ૭૬૫ વર ચાહતાં ખટ માસ, વલી આજ પુહતી આસ. વલી આજ પુહતી આસ સ્વામી પ્રી પરજાવ્યાં પ્રથિવીણી. સાર કરિ–ન સ્વામી શ્રીરંગધરા ઈમ બોલઈ રાણી રિષિમણી ૫૫