________________
૨૧૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ-૧
ભરતેશ્વર-બાહુબલિ રાસ' (ઈ. ૧૧૮૫) માંના “સરસ્વતીધઉલનો આ ઢાળ છે. અંતે બોલીનો જે પ્રકાર એણે પ્રયોજ્યો છે તે માણિકચંદ્રસૂરિના પૃથ્વીચંદ્રચરિતના પ્રાસવાળા વાક્યખંડોના પ્રકારનો છે. પદ્મનાભના “કાન્હડદે–પ્રબંધ'ની ભટાઉલિ'નું ગદ્ય સારું છે તો વિરસિંહનું આ ગદ્ય એની પ્રાસાત્મક વાક્યરચનાથી જુદું પડે છે:
આઠમાં અવતારિ, કંસ માલાખાડિ મારી, બલિ તણે બાણ મનાવય હારિ, યાદવવંશ વધારિ, સોલસહસ્ત્ર નારી, વરસિંગ ભણઈ દ્વાપરયુગ મઝારિ'.
પ્રાપ્ત એવો પહેલો સળંગબંધના આખ્યાનનો રચયિતા વીરસિંહ ઉષા-અનિરુદ્ધનું પૌરાણિક કથાનક, પૂર્વના પ્રચલિત કાવ્યબંધનું ગદ્ય સમેત વૈવિધ્ય સાધી, આપે છે એ રીતે નોંધપાત્ર બની રહે છે. એના નામ ઉપરથી એ રાજપૂત હશે; એણે પોતાના કાવ્યમાં છત્રીસ-કુળી રાજપૂતોની યાદી આપી છે તેથી એવું માનવા મન થાય, પરંતુ સાહિત્યકાર તરીકે તો એ યુગનું એક સારું ગુજરાતી આખ્યાનકાવ્ય એ અર્પી જાય છે, એ રીતે એનું મૂલ્ય છે.
માંડણ બંધારો ઈ. ૧૬મી સદી આરંભ સુધીમાં પદ્મનાભ વીરસિંહ અને કર્મણમંત્રીનો સમકાલીન માત્ર નહિ, એ જ પશ્ચિમ મારવાડનો કહી શકાય તેવો સાહિત્યકાર માંડણ બંધારો માલૂમ પડી આવ્યો છે :
શીરોહી સારણ સાનિધિ કરી કથા આવી મનશિધિ. આવ્યું કુલે બંધારા તણાં, લીધુ જનમ કૃત આપણઈ. ૧૨. માતા મધૂ-ઉદરિ નિવાસ, વૈષ્ણવ ભક્ત સહૂનું દસ, ...સત્યઈ કૂડઈ મિશિ મંડણ મુખિ હરિનામ આવશિ. ૧૩.
આ રીતે પશ્ચિમ મારવાડના, આબુની ઉત્તરે આવેલા શિરોહીનો રહેવાસી અને બંધારા જ્ઞાતિનો સમજાય છે. એની માતાનું નામ “મધૂ અને એના હનુમંતાખ્યાનમાં જણાવ્યા પ્રમાણે એના પિતાનું નામ હરિ હતું.”૫૯ અંબાલાલ બુ. જાનીએ શિરોહી ને ઊના-શિહોર ગણી કવિ સૌરાષ્ટ્રનો હોવાનો મત આપ્યો છે, પણ એ રીતે શિહોર' કહેવું હોય તો ગોહિલવાડનું સુપ્રસિદ્ધ શિહોર' શા માટે ન લેવાય? પરંતુ શિરોહી' એવો ઉલ્લેખ થયેલો હોઈ જોડણી-દોષ જોવાની જરૂર નથી. પદ્મનાભ વીરસિંહ અને કર્મણ મંત્રી પશ્ચિમ મારવાડમાં રચનાઓ કરતા મળે જ છે. કહેવાની જરૂર નથી કે આજે પણ શિરોહીનો જેમાં સમાવેશ છે તેવા ભિન્નમાળ–શ્રીમાળના