________________
૧૩૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧
નાતમાં રાખ્યું ઈંડુ' “હરિ વિના વાત તે સર્વ મીંડું –એવા પ્રાસમાં જોવા મળે છે. સંસ્કૃત ભાષા કવિને પૂરતી વશ છે એ ‘વારુ-“ચારુ' જેવા પ્રાસમાં દેખાય છે. મંત્ર મોહન વિના નહીં રે બીજો' ના પ્રાસમાં પ્રભુ, શે ન ભીંજો?' તો નરસિંહની આદ્ર વાણીમાં ખેંચાઈ આવે જ ને? “સામળા, મેલ મન આંબળા એવા આંતપ્રાસ ઉપરનો કાબુ પણ સારો એવો જણાય છે.વર્ણસગાઈ સહેજે સધાઈ જતી જોવા મળે છે. વચ્ચે વચ્ચે શબ્દ અને લયની છટાઓ, અભિવ્યક્તિના ચમકારા જોવા મળે છે. પોતીકી શૈલી પર નરસિંહની હથોટી જામતી આવે છે એ પણ જોઈ શકાય
આ ચારે પ્રસંગો આખ્યાનકલ્પ છે. પણ નરસિંહને પોતાની કથા કહેવામાં રસ નથી, તે તે પ્રસંગે પ્રભુની પ્રભુતા કેવી પ્રગટે છે એ ઉપર જ એનું ધ્યાન છે, ચારે કૃતિઓ ભક્તિવૃત્તિના ફુવારારૂપે નિર્માઈ છે. બહારસમેનાં પદ તો ભક્તિઉદ્ગારની જ હારમાળા છે.
આ આત્મકથનોમાં નરસિંહના વ્યક્તિત્વની સરળતા, આર્દ્રતા, લેલીનતા અને આત્મવત્તા સવિશેષ ઊપસી આવે છે. પોતાની વાણી જાગી ઊઠી તો એનો વિનિયોગ એણે મહાદેવને પણ જે વહાલું હોય તે એમની પાસે માગવામાં કર્યો અને શ્રીકૃષ્ણની લીલાનો પોતાને જે સ્વાનુભવ થયો તે “મધુરી વાણીમાં ગાવાનો મનસૂબો સેવ્યો.
નરસિંહની નમ્રતાનો પાર નથી. રાસલીલામાં પોતે દિવેટિયો હોવા અંગે એ ગૌરવ લે છે. નમ્રતાનું જ બીજું પાસું ગૌરવભાન છે. નરસિંહની આત્મવત્તા સત્તાધારી સમ્રાટની નથી, પણ ભગવાન સાથેના સાયુજયભાવમાંથી પ્રગટેલી આત્મવત્તા છે. કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો કેમકે ભગવાને માથે હાથ મૂક્યો છે. દર્શન કરનારાઓની લ્હાર લાગી', મદન મહેતાએ “નરસિયો દીઠો નરસિંઘ સરખો', નરસિયો ચતુર્ભુજ દીઠો સૌએ – એ ઉગારો ભગવાનમય થયાના ગૌરવભાવના છે. પોતાના નામ પર શ્લેષ કરીને પોતે ભગવાનનો બનવાથી ખરે જ નરસિંહ (માણસોમાં સિંહ) સમાન બન્યો છે એમ કહેતાં એ સંકોચાતો નથી. મદન મહેતાના ગોરને મુખે નરસિંહે પોતાનું વર્ણન કર્યું છે: “રાખે વહેવાર ને ચાલે સાચું. ગુજરાતી ભાષાના બે સાદા શબ્દો-“ચાલે સાચું –માં નરસિંહ જેવો પ્રગટ થાય છે તેવો પાછળનાં એને વિશેનાં આખાં આખ્યાન કાવ્યોમાંથી પણ જવલ્લે થાય છે. નરસિંહની કૃતિઓમાં જેવો યથાતથ નરસિંહ ઊપસે છે તેવો પાછળનાં નરસિંહવિષયક કાવ્યોમાંથી – પ્રેમાનંદનાં પણ કાવ્યોમાંથી -પ્રતીત થતો નથી.
આ ચારે કૃતિઓને પછીના કવિઓએ કાચાં ડોળિયાં તરીકે વાપરીને તે તે પ્રસંગ મલાવી મલાવીને નિરૂપી કાવ્યરચનાઓ કરી છે. પાછળના કવિઓની રચનાઓ