________________
૧૪૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
મિત્ર મોહનની વાત તો સુદામાથી ક્યારેક ને ક્યારેક થયાં જ કરી હશે. ઘણાં વસે બહુ ઊણપ વરતાઈ ત્યારે પત્ની કહે છે : જદુપતિનાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે'. કાવ્યનો આરંભ જ એ મિત્રતા’ સંભારી આપવા દ્વારા થાય છે. મોહન મિત્ર' છે એ વાત તો સાચી. પણ મિત્ર આ રીતે મુશ્કેલી ઊભી કરશે એની સુદામાને કલ્પના પણ નહીં. બીજા કડવાને અંતે સુદામા કહે છે : મૌન બેસી રહો... દુરિજન લોક તે છોને લવતાં રહે.' તો, સુદામાને કૃષ્ણ સરખા મિત્ર છે એ વાત લોક પણ જાણે છે શું? સુદામા નિર્ધનદશામાં જીવે છે એ વિશે એ લવ્યા કરતાં હશે – કૃષ્ણ જેવા સુદામાના ‘મિત્ર' છે ને જુઓ તો કેવી રીતે ભાઈ જીવે છે! એમ ઉપાલંભવચનો બોલ્યાં કરતાં હશે? સુદામાને કૃષ્ણ તરફ ધકેલવાનો બોજો નરસિંહની કૃતિમાં પત્ની ઉપર જ ન રહેતાં લોકો પર –દુરિજન’ પર જાય છે ‘મિત્ર’ શબ્દ એ દુરિજનોના મુખથી ઉચ્ચારાતાં વ્યંગ્યાર્થ ધારણ કરે છે.
-
-
સુદામા દ્વારકા તરફ ધપી રહ્યો છે– ‘મિત્ર મોહનતણું નામ લેતા’, ત્યારે ‘મિત્ર’ શબ્દ પોતાના અંતરાત્માની સાક્ષીએ જે સાચો ભાઈબંધ છે તેને માટે વપરાયો છે. પદ-૮માં મિત્ર મોહનતણું હેત જ્યારે પૂછશે, કામિનીને ઉત્તર કેમદેશું?” –માં મિત્ર અંતરાત્માએ ઓળખેલો નહીં, પણ લોકજીભે ગવાતો મિત્ર છે. પણ વળી પાછો પદ-૯ માં ‘મિત્ર મોહન તણી પ્રીત સાચી'માં અંતરાત્માની દૃઢ પ્રતીતિ જેના અંગે છે તે ‘મિત્ર'નો ઉલ્લેખ છે.
આમ, ‘મિત્ર' એ શબ્દ બે રીતે યોજાયો છે. (૧) સુદામા જિંદગીમાં ક્યારેય કૃષ્ણને દ્વારકામાં જઈને પ્રત્યક્ષ ન મળે તો પણ પૂરા વિશ્વાસથી એમને પોતાના મિત્ર' તરીકે નિરંતર અનુભવે છે. એ તો મનોમન સાક્ષી છે. એનાં પત્ની પણ પતિને ખરેખર કૃષ્ણના મિત્ર માને છે. પદ ૪માં એ એને ‘સમોવડ' પણ લેખે છે. પણ પત્નીને મુખે કૃષ્ણ માટે મિત્ર શબ્દ ઉચ્ચારતાં, સુદામા ભડકે છે. અંતરાત્માના સંબંધની વાત હતી એ આમ ક્યાં પ્રગટ થઈ? (૨) મિત્ર શબ્દ પત્નીને મુખે પત્નીના હૃદયથી તો પવિત્રભાવે) ઉચ્ચારતાં લવરી કરતાં બીજાં લોકો-દુરિજનો'– ને મુખે વ્યંગમાં ઉચ્ચારાતાં મિત્રનો ખ્યાલ આગળ આવે છે અને એ અવતરણ-ચિહ્નમાં મૂકીને ઉચ્ચારાતો ‘મિત્ર’ શબ્દ સુદામાની સ્થિતિ પર જુદી રીતે પ્રકાશ નાખે છે. પહેલી જ પંક્તિમાં મિત્ર છે તમતણા'માં પણ એનો પડછાયો પડે છે. ઘેર પાછા વળતાં મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે'-માં તો સુદામા પોતે પણ મિત્ર શબ્દ ચાવીને આત્મોપહાસ કરતા બોલતા હોય એવું જોઈ શકાય છે. આમ, એક શબ્દને એકવાર સરળ રીતે અને એ જ શબ્દને બીજીવાર વ્યંગ્યપૂર્વક યોજીને નરસિંહે એક જાતની