________________
૨૦૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧
સંવન પનર અડતાલ વરસ માસ દામોદર સાર, ભણઈ જનાર્દન કાર્તિકી એકાદશી ગુરુવાર."
અમરાવતી–ઉમરેઠમાં નિંબાના પુત્ર ત્રવાડી જનાર્દને “સં.૧૫૪૮ના કાર્તિક (સુદિ)૧૧ ને ગુરૂવારે [ઈ. ૧૪૯૨) ઉષાહરણની રચનાકરી’. ‘અમરાવતી' એ ‘ઉમરેઠનું સંસ્કૃતીકરણ માત્ર છે, કારણ કે ખડાયતા બ્રાહ્મણોની વસ્તી ‘ઉમરેઠમાં છે, નહિ કે સૌરાષ્ટ્રના અમરેલીમાં ૧
એની મુદ્રિત વાચનામાં જુદા જુદા રાગોના મથાળે “કડવું' શબ્દ મુકાયેલો છે. હકીકતે ૨૨૦ કડીઓનું આ ઉષાહરણ' કાવ્ય ૩૬ પદોમાં વહેંચાયેલું છે. બંધની દષ્ટિએ એ બધાં નથી શુદ્ધ પદ કે હજી નથી બન્યાં કડવાં’. ‘કડવાં એ દષ્ટિએ નથી બન્યાં કે આરંભમાં ધુવાની કડીઓ જોવા નથી મળતી અને ઢાલ પણ ઊથલા” અને વલણ' ને માટે તો પચીસેક વર્ષ પછી નાકરની રચનાઓમાં જવું પડે છે. જનાર્દને ચોખ્ખી ૩ થી લઈ ૯ કડીઓ સુધીમાં ઝૂમખાં આપ્યાં છે, જેનું સામ્ય નરસિંહ મહેતાનાં પદો સાથે લાગે; પરંતુ નરસિંહે ચાર કે પાંચ સાદા જ બંધ પ્રયોજ્યા છે, જ્યારે જનાર્દને આઠ જેટલા બંધોનું વૈવિધ્ય સાધ્યું છે.
કાવ્યના વિષય તરીકે એણે ઉષા-અનિરુદ્ધનું જાણીતું વસ્તુ લીધું છે. એણે તે તે પ્રસંગને લાઘવથી, પણ રોચક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉષાના જન્મ-સમયની વધામણીનું ચિત્ર :
નિજ ગુરુ માગ) વધામણી એ રા-ઘરિ બેટી પાઉધારિ. રૂપિ તે ત્રિભુવનમોહની એ, લક્ષણ નઈ ગુણસાર. નહીં રંભા, નહીં કરવસી એ, મેનકા નહીં એહ સમાન. દ્રિજવરનઈ રાઇ રીઝિલ એ, બૂઝિઉ જગ-ફલ કોડિ. દેવ ગંધર્વ ને નાગ માંહી એ, જોઢું એહની જોડિ. આકાશ શબ્દ ઇમ ઉચ્ચાઈ એ ઇચ્છાવર વરસિ કુમારિ, જનાર્દન ભણઈ : પ્રાણિ કાંઈ નહઈ એ, હુનિ ન ટલઇ સંસારિ.૦
આલંકારિક દૃષ્ટિએ કવિ સિદ્ધિને વરી શકતો નથી. કદાચ તેથી જ બંધની દૃષ્ટિએ વૈવિધ્ય તરફ એણે મીટ માંડી છે. યાદવોનું સૈન્ય ચડી આવે છે ત્યારે એ વસંતવિલાસમાંના સાંકળી બંધનો આશ્રય લઈ રોચકતા લાવવા આયાસ કરે છે, જેમ કે
ઉદ્ધવ વલિયા ઉતાવલા રે, વાઉલા યાદવ યોધિ, વાડી વન ઊમેલિયાં રે, મેલિયાં કરી વિરોધ.