________________
આદિભક્તિયુગના કવિઓ ૨૦૩
‘પ્રબોધપ્રકાશ'માં મુખ્યત્વે ચોપાઈ અને પૂર્વછાયુ (દોહા)નો પ્રયોગ જોવા મળે છે; વચ્ચે વચ્ચે વસ્તુ, પદ્મડી, મડયલ, જડયલ, ભુજંગપ્રયાતની ચાલ, અને છપ્પયનો પણ પ્રયોગ કરી લીધેલ છે. આ નાટક, પ્રમાણમાં, સંક્ષિપ્ત અનુવાદ માત્ર છે એટલે ભીમની પ્રતિભાનો આમાંથી પરિચય ન મળે; આમ છતાં ક્યાંક ક્યાંક એણે શક્તિ બતાવવા પ્રયત્ન કર્યો છે. નીચેનો પાંચમા અંકમાનો મોહ' અને ‘વિવેક’નાં દળો વચ્ચેનો યુદ્ધનો પ્રસંગ :
અથ કવિતા
“ભડઇ કટક રિપુ વિકટ, સભટ ઘટ આયુધ કૂટઈ
સન્માન વછૂટઇ
શબ્દ નિઘડ કટકટઈ, કન્ધ
તૂટઈ કટિતર-બાંહ શકલ સન્નાહ મુગટમણિ, રુધિર નદી, પલ-પંક, કંક-ટૂંકા સમરાંગણ.
ગજરથ તુરંગ પાઈદલ બહુલા પ્રાણહીન પુહુતિં પડઇ,
રાજા વિવેક એકલમલ્લ મામોહ સિરસુ ભડઇ.૩૧૨૭
-
એણે ત્રીજા અંકમાં ૩, ૬, ૮, ૧૧ એ કડીની ‘ચાલતી ચુપઇ' આપી છે તે સરૈયાની ચાલ' છે.
ભીમે પોતાની શક્તિ પ્રમાણે સમકાલીન સાહિત્યકારોની હરોળમાં પણ થોડુંક આગલું સ્થાન મેળવવામાં શક્તિનો ઉપયોગ કર્યો છે. ધ્યાનમાં લેવા જેવું તો એ છે કે ‘વિઠ્ઠલ’ એની રચનાઓમાં આવી ગયો છે.૨૯ ‘વિઠ્ઠલ' શબ્દનું પ્રદાન વા૨કરી સંતોનું છે, એ વિશે આજે મતભેદ નથી.
ભીમ સંસ્કૃત ભાષાનો જ્ઞાતા હોવાનું ઉપરની એની બંને કૃતિઓ જોતાં કહી શકાય એમ છે. ‘હિરલીલા-ષોડશકલા'માં એણે થોડા શ્લોક સંસ્કૃતમાં રચ્યાનું આપણે જોયું છે. વં યુો નીવન યવુબુલમંડન' થી શરૂ થતું ‘ભીમ'ની છાપનું ઝૂલણાના ઢાળની ૩ કડીઓનું સંસ્કૃત પદ મળી આવ્યું છે તે એની રચના હોય તો એ અસંભવિત નહિ હોય. સ્વતંત્ર રીતે નોંધાયેલું ‘પિ–ન રસને નામ વિમલ રાઘવ તરૂં સુષકર સંસાર-શોકહરણ' એ પ્રકારનું સંસ્કૃત-ગુજરાતી મિશ્ર પદ ભીમ કેશવદાસ ક૨ જોડી વીવિ, દેવ દેવેસ ઇમ ઇસ બોલિ' એ રીતની છેલ્લી પંક્તિવાળું ચાર કડીઓનું જાણવામાં આવ્યું છે તે પણ એની રચના હોય. આ પદ જો ભીમનું હોય તો નરસિંહ મહેતાનાં હારસમેનાં પદોને આમેજ કરી લઇ પ્રથમ પચાસ પદોની ‘હારમાળા' ઊભી કરવામાં આવી અને પછી ચોસઠ–ચોર્યાશી વગેરેના ક્રમ ઊભા થયા તેઓમાં આરંભમાં સંન્યાસીઓ સાથેનો વાદપ્રસંગ ખડો કરવામાં આવ્યો છે, આ પ્રસંગમાં એક રામભક્ત ‘ભીમ’ પણ એક પાત્ર તરીકે આવે
છે. આ ‘રામભક્ત'
૩૨