________________
૪૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧
સ્વરૂપમાં પણ એ પ્રચુર માત્રામાં હોય છે. એટલે એ રાસાનું વિશિષ્ટ લક્ષણ છે એવું નથી. પ્રહેલિકા કે સમસ્યાનો ઉપયોગ, કાળનિર્ગમન કરવા અથવા નાયકનાયિકાની બુદ્ધિની કસોટી કરવા રાસા અને કથાવાર્તામાં થતો હોય છે, રાસામાં સમકાલીન સમાજનું પણ પ્રતિબિંબ પડતું હોય છે. જેમ કે, “રૂપચંદકુંવરરાસ', જયાનંદકેવલીરાસ' ઈત્યાદિમાં જ્યારે રાજા મોટું પગલું ભરે ત્યારે મહાજન હડતાલ પાડતું, તેનો ઉલ્લેખ છે. તેમ જ “કુસુમશ્રીરાસ', “શીલાવતીનો રાસ’, ‘શ્રીપાળાનો રાસમાં છેક ગુજરાતના વેપારીઓ દરિયાપાર વેપાર અર્થે જતા તેના ઉલ્લેખ આવે છે.
- આ રાસાઓ વિવિધ ઢાળો અને છંદોમાં રચાતા. આથી રાસા રચનારા કાવ્યને અનેક વિભાગમાં વહેંચી નાખતા. જેવા કે, અધિકાર ઉલ્લાસ, ખંડ એ વિભાગીકરણના સંસ્કૃત પ્રકારો છે. કડવક, ભાષા કે ઠવણી એ પ્રકારનું વિભાગીકરણ પંદરમી સદી અને તે પૂર્વેના રાસાઓમાં મળે છે. જ્યારે અધિકાર, ખંડ, પ્રસ્તાવ, ઉલ્લાસ આપણને પંદરમી સદી પછીના રાસાઓમાં મળે છે. પંદરમી સદી પૂર્વે રાસાઓના છંદો પણ લગભગ નિશ્ચિત જ છે. દુહા, ચોપાઈ, સોરઠા, રોળા વગેરે છંદો આવતા. જ્યારે પછીના રાસાઓમાં દેશી ઢાળો અને બંધો વપરાતા. રાસાઓને ડોલરરાય માંકડ સ્વતંત્ર કાવ્યપ્રકાર લેખતા નથી પરંતુ એને કથાશૈલીનું ખંડકાવ્ય લેખે છે.૧૭
રાસા ઈતિહાસને જાળવી રાખે છે. સમાજજીવનની ઝાંખી કરાવે છે, ધર્મોપદેશ આપે છે, વાર્તા કહે છે. મુક્તકો દ્વારા સંસારજ્ઞાન આપે છે. સમસ્યાઓ દ્વારા બુદ્ધિની રમત કરવાની તક આપે છે. એ નૃત્ય અને ગેય કાવ્યો હતો તેમ જ શ્રાવ્ય કાવ્યો પણ હતાં.
આખ્યાન ભોજના “શૃંગાપ્રકાશમાં આખ્યાનની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે :
આખ્યાનસંજ્ઞા તલ્લભતે યદ્યભિનયન પઠન ગાયન | પ્રાન્ટિકઃ એક કથતિ ગોવિન્દવદવહિતે સવસિ પુરા
અર્થાત્ જેને એક જ કથા વાંચનાર અભિનય કરીને, પાઠ કરીને, અને ગાઈને એકત્રિત થયેલા શ્રોતાઓને સંભળાવે છે તે આખ્યાન કહેવાય જેમ કે ગોવિંદાખ્યાન
આપણા ગુજરાતી આખ્યાનને વધુમાં વધુ મળતી આવતી આ વ્યાખ્યા છે. કારણ, આપણાં આખ્યાનોમાં રામાયણ, મહાભારત, ભાગવત જેવી મોટી કથામાં ઉપદેશ આપવા માટે મુકાયેલી હરિશ્ચન્દ્ર, નળ, પ્રહલાદ જેવાની કથાઓ. જે ઉપાખ્યાનો હતી, તેને આપણા માણભટો ગાઈને, વીંટીથી માણને તાલ આપતા આપતા, સાભિનય શ્રોતાઓની સમક્ષ રજૂ કરતા. જોકે નરસિંહ વિષયક આખ્યાનો પુરાણકથા ન હોવાને