________________
જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦-૧૬૦૦) ૯૧
રચના કરી છે. એમાં ધમ્મિલ નામના શ્રેષ્ઠીપુત્રનું કથાનક વર્ણવવામાં આવ્યું છે. ધમ્મિલ કુશાગ્રપુરના સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠી અને તેની પત્ની સુભદ્રાનો પુત્ર હતો. એનાં લગ્ન યશોમતી નામની એક શ્રેષ્ઠીપુત્રી સાથે થયાં હતાં. પરંતુ ધમિલને યૌવનના સુખોપભોગમાં રસ ન હતો એટલે એનામાં એ માટે રસ જાગે એથી એની માતાએ એને જુગારીઓની સોબત કરાવી, અને તેમ કરતાં એ વેશ્યાઓની સોબતે પણ ચડ્યો. માતાપિતાના અવસાન પછી ધન હતું ત્યાં સુધી યશોમતી ધમિલને મોકલતી રહી. પણ એ ખલાસ થયું એટલે યશોમતી પિયર ચાલી ગઈ અને ધમિલને વેશ્યાએ બહાર કાઢ્યો. એથી ધમ્મિલની આંખ ઊઘડી. ફરી તે ગૃહસ્થ જીવન તરફ વળ્યો, પ્રગતિ સાધી, બીજી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને ભોગવિલાસ ભોગવવા લાગ્યો. પરંતુ એથી સંતોષ ન થતાં એક વખત સાધુ પાસે ધર્મોપદેશ સાંભળતાં ફરી એનામાં વૈરાગ્ય જાગ્યો અને છેવટે એણે ચારિત્ર્ય ગ્રહણ કર્યું.
જયવંતસૂરિ મમ્મટના કાવ્યપ્રકાશ' પર ટીકા લખનાર સંસ્કૃતના પ્રખર પંડિત કવિ જયવંતસૂરિ ઈ.સ.ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા.
વડતપગચ્છના ધર્મરત્નસૂરિના બે મુખ્ય શિષ્ય તે વિદ્યામંડનસૂરિ અને વિનયમંડન ઉપાધ્યાય. ઈ.સ. ૧૫૩૧માં કર્મશાહે શત્રુજ્ય ઉદ્ધાર કરાવ્યો ત્યારે
ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા વિદ્યામંડળનસૂરિના હસ્તે થઈ હતી અને તે ઉત્સવમાં વિનયમંડન ઉપાધ્યાયે પણ સારો ભાગ લીધો હતો. એ વિનયમંડનના શિષ્ય જયવંતસૂરિ પણ તે સમયે વિદ્યમાન હતા. જયવંતસૂરિએ “શૃંગારમંજરી', “ઋષિદત્તા રાસ,” “નેમરાજુલ બારમાસ', સીમંધરસ્તવન, સ્થૂલભદ્ર પ્રેમવિલાસ ફાગ, સ્થૂલભદ્ર મોહનવેલિ, સીમંધરના ચંદ્રકલા, લોચનકાજલ સંવાદ ઇત્યાદિ કૃતિઓની રચના કરી
જયવંતસૂરિની દીર્ઘકૃતિઓમાં શૃંગારમંજરી/શીલવતીરાસાઈ.૧૫૫૮) અને ઋષિદત્તા રાસ (ઈ.૧૫૮૭) છે. પ્રથમ કૃતિમાં સતી શીલવતીના અને બીજીમાં સતી ઋષિદતાના ચરિત્રનું આલેખન છે. શૃંગારમંજરીની રચના ૨૮૦૦ જેટલી કડીમાં છે, જ્યારે ઋષિદરા રાસની રચના ૮૫૦ જેટલી કડીમાં થઈ છે. શૃંગારમંજરી કવિની સમર્થ કૃતિ છે. કવિનું આલેખન રસિક અને છટાદાર છે. પ્રાસાનુપ્રાસાદિ શબ્દાલંકાર ઉપરનું કવિનું પ્રભુત્વ સહજ અને પ્રશસ્ય છે. જુઓ :
સોવિન ચૂડી કરિ ધરી, ઉરવરિ નવસરહાર, ખલકતિ સોવિન મેખલા, પય ઝંઝર ઝમકાર. વેણીદંડ પ્રચંડ એ, જિરા શેષ ભુયંગ,