________________
નરસિંહ મહેતા . ૧૨૫
હું અને તું વિશે ભેદ નહીં, નાગરા, શ્રીમુખે કહું રે ગુણડા રે તારા. જે રસ ગૂઝ બ્રહ્માદિક નવ લહે, તે પ્રગટ ગાજે; તુંને વચન દીધું. નિશ્ચે રાખી નિરભે થઈ માણજે.'- દાસનું અતિ સનમાન કીધું.
‘માસ ને ત્રણ તિહાં' વીતી ગયા. છઠ્ઠા પદમાં કહે છે કે વિદાય પૂર્વે રુમિણીએ સ્નેહભાવ રાખજો એમ કહી પોતાને મૃત્યુલોક જોવાની હોંશ હોઈ પુત્રના લગ્નમાં તેડવા માટે ખાનગીમાં કહ્યું. પાળજો, માતાજી, વચન’– એમ નરસિંહે એમને બાંધ્યાં અને એમનો નિશ્ચય જોઈ યાદદાસ્ત માટે પોતાના વસ્ત્ર ગાંઠ બાંધી’. નરસિંહ હવે
શીશ નમાવીને તિહાં થકી નીસર્યો, પૂરણબ્રહ્મ શું પ્રીત સાંધી... પુષ્પ આપ્યું હુંને નાથ લક્ષ્મી તણે, સાચું કે સ્વપ્ન મેં દ્રષ્ટ દીઠું. લક્ષ સવા કીર્તન તણો નીમ કરી, નરસિઁયાને મન લાગ્યું મીઠું.
આ ઘટનાને પરિણામે કવિ કહે છે તેમ સૂતી ઊઠી મારી આદ્ય વાણી'. સવાલાખ ભક્તિપદો ગાવાનો એ સંકલ્પ કરે છે. નરસિંહનું આખું જીવન પલટી નાખે એવો આ બનાવ હતો. કવિઓ, કલાકારો, જીવનવીરોની બાબતમાં આખું અસ્તિત્વ પલટાવી નાખનાર કોઈ ને કોઈ બનાવ ક્યારેક જોવા મળતો હોય છે. નરસિંહ પોતાનું સ્વરૂપાન્તર કરનાર બનાવ નિરૂપતાં ઉમેરે છે કે એ સાચો હોય કે સ્વપ્નવત્ હોય, પણ પોતાને લક્ષ્મીનાથે હાથોહાથ પુષ્પ આપ્યું વગેરે બધું પોતે તો પ્રત્યક્ષ અનુભવ્યું છે અને એને પોતાને માટે તો એ વાસ્તવિક ઘટના છે, પોતે આખો પલટાઈ ગયો છે એ એની સાબિતી છે.
‘ચાતુરીઓ’(૯)માં રાધાકૃષ્ણના કામવિલાસનો પોતે સાક્ષી બને છે, પોતે ભામિનીઓમાં ભળી જઈ “મહારસ”માં ઝીલે છે, પ્રભુનું સોંપ્યું દૂતીકાર્ય કરે છે . એ બધી કૃપા પાર્વતીના નાથે કરી, તેમણે દિવ્યચક્ષુ આપ્યાં મુજને, મસ્તક મેલ્યો હાથ', એ વિગતો ટૂંકમાં એણે નિરૂપી છે.
‘પુત્રનો વિવાહ’ના સાતમા પદમાં નરસિંહ નવા અવતારે એને શોભે એ રીતે ભાભીનો અને જનનીજનકનો અહેસાન માને છે.
ધન્ય ભાભી તમ્યો, ધન્ય માતાપિતા, શઠ જાણી હુંને દયા રે કીધી. તમારી ક્રિપા થકી હરિહર ભેટિયા, કૃષ્ણજીએ મારી સૂધ લીધી.
સાચું હોય કે સ્વપ્ન હોય કે દિવ્યચક્ષુનો પ્રતાપ હોય – હવે નરસૈંયો ભગવાનના રંગે રંગાઈ ચૂક્યો છે.
ભાભીએ દિય૨ ૫૨ણેલો છે, પિતા છે અને વ્યવહાર સંભાળતો નથી, એટલે આવેશમાં એને ‘મૂર્ખ’ કહી દીધો હશે. પણ એ મૂર્ખતા’ પાછળ બે વસ્તુઓ બીજ