________________
૧૨૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ-૧
હવે “રક જાણી તમો લાજો છો આવતાં?”
તવ હરિ ધાઈ સ્વધામથી ઊઠિયા, “દારુક દારુક” વદતા વાણી; “ચાલ ચતુરા', ચતુર્ભુજ મુખેથી ભણે, “દુઃખ ધરે દાસ, મને દોહ્યલું આણી...” અંતરિખમારગે પળ માંહે આવિયા, રથ તણી ગરજના શ્રવણે જાણી. અવર બીજો કોઈ જાનમાં નવ લહે નરસિયો નીરખે શ્રી ચક્રપાણિ.(૨૭)
નરસિંહ ચમત્કારના તત્ત્વને આ રીતે હળવું કરે છે. ગાજતા રથમાં આવતા ચતુર્ભુજને આખી જાનમાં પોતે જ એકલો જુએ છે : “દુરિજનાં લોક તે નવ લહે વારતા, આડ અંતરાયનાં બાંધ્યાં કર્મ'. જાનનું વર્ણન તાદશ છે :
ત્રણસેં ત્રીસ રેવંત તિહાં પાખય. વીસ તોખારના રથ રે જોયા. નીલાપીળા વળી લાલ કસુંબિયા એકબીજા પર જાય દોડ્યા. ઘૂઘરા ઘમઘમે ટેકરા ટમટમે, રમઝમ ઘમઘમ શબ્દ ઊઠે. (૨૮).
મદન મહેતો ધાઈ ચરણે નમ્યો, વહેવાઈ મન ગમ્યો, નરસિંયો દીઠો નરસિંગસરખો.” રૂડી રીતે લગ્ન પાર પડ્યાં. કન્યાને સ્વસ્તિ ભણાવતાં નરસિયો ચતુર્ભુજ દીઠો સૌએ'. નરસિંહે હું અને તું વિશે ભેદ નહીં, નાગરા' અનુભવ્યું હતું તેમાં એ તો સતત ચકચૂર છે. ભગવાનનું સાનિધ્ય અને સાયુજય એ અનુભવી રહ્યો છે, અને કોઈ ભાવિક ધનિક અનુયાયીએ પ્રસંગ વ્યાવહારિક દૃષ્ટિએ પાર પાડી આપ્યો હશે. પોતે ભગવાન આગળ પ્રેમ ભરાણો ને બોલી શકું નહીં, રુદિયા ભીડ્યો મારા હાથ સાહી.” ભક્તોના આવા સ્વાનુભવો સામાન્ય છે. નામદેવે પણ પ્રભુએ ૩ોનિ હોદ વાદી, નામ ધરિત્ના હજી (૧૭૭૬) બે હાથે ઊંચકીને નામાને છાતીએ લગાડ્યો – એ વાત કરી છે.
૨. પુત્રીનું મામેરું – વિરક્ત પિતાને માથે મામેરું કરવાની જવાબદારી આવી કેમ કે પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં. ઊનાથી કુંવરબાઈના સાસરેથી ખોખલો પંડ્યો ખબર લાવ્યો. એક માનવીની જેમ નરસિંહના ઉદ્ગારો નીકળે છે : “જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોલ્યા મરી જાય રે માય'. માણેકબાઈ જતાં “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ' એવો ઉદ્દગાર નરસિંહના મુખમાં મૂકવામાં લોકજીભને પ્રેમાનંદ જેવાએ પણ અનુમોદન આપ્યું છે, પણ નરસિંહના હૃદયની સ્થિતિ જુદી જ હતી અને સ્વયં કવિને મુખે જ ગુજરાતી કવિતામાં એ અપૂર્વ આલેખન પામી છે. વળી એ કહે છે : નિર્ધન નર કાં સરજિયાં, શ્રીહરિ?... એક પરિભવ કેમ રહીએ રે સામળા?”